________________
- ૨૦
બાકીના ચાર કર્મો “અઘાતી છે. એટલે તે આત્માના સ્વાભાવિક સ્વરૂપને પ્રતિરોધ કરતા નથી. તેને સંબ માત્ર બાહ્ય સામગ્રી સાથે છે, તેના ઉદયથી બાહ્ય સામગ્રીની. પ્રાપ્તિ થાય છે. ઘાતી કર્મો આત્માનું સ્વરૂપ પ્રગટ થવા દેતા નથી અને આત્માના વિકાસમાં બાધા નાંખે છે. અઘાતી કર્મમાં તેવી શક્તિ નથી.
અઘાતી કર્મના ચાર પ્રકાર છે–૧ વેદનીય, ૨ નામ, ૩ ગોત્ર અને ૪ આયુષ. વેદનીયકર્મના ઉદયથી આત્માને સુખ-દુઃખાદિનું ભાન કરાવનાર સામગ્રીને વેગ થાય છે, એ સિવાય બીજી વેદનીય કર્મની સત્તા નથી.તે સામગ્રીમાં સુખદુઃખાદિનું ભાન કરાવનાર તે મેહનીય કર્મ છે. વેદનીય તે સુખદુઃખાદિ સામગ્રીને વેગ કરી આપી ખસી જાય છે. જેટલે અંશે મોહનીય કર્મ સહકારી હોય તેટલે અંશે સુખદુઃખાદિ સામગ્રીમાં આત્મા અનુરંજિત થાય છે તન્મય થાય છે. અનુરંજિતપણાનું તારતમ્ય મોહનીય કર્મને આભારી છે. જે મોહનીય કર્મ ન હોય તે વેદનીય કર્મ સાવ સામર્થ્યહીન છે, દશ્વરજજુ સમાન છે. તેનામાં સામગ્રી પૂરી * વેદનીય કર્મના ઉદયથી સુખ-દુઃખને અનુભવ થાય છે. સુખની
સામગ્રીની પ્રાપ્તિ લાભાંતરાય કર્મના ક્ષપશમથી થાય છે, અને દુઃખની સામગ્રીની પ્રાપ્તિ અશાતા વેદનીય કર્મના ઉદયથી થાય છે. સુખમાં રાગ અને દુ:ખમાં ઠેષ મેહનીય કર્મમા ઉદયથી થાય છે. એ રાગ-દેષના કારણે અશુભ કર્મને બંધ થાય છે, અને એથી સંસાર પરિભ્રમણ વધે છે. આથી સંસાર પરિભ્રમણનું કારણ મોહનીય કર્મ છે. સંપાદક