________________
કર્મ વિપાક-વિવેચનસહિત ૧૫૮ अविश्यमाई सुराउ, बालतवोऽकामनिज्जरो जयइ । सरलो अगारविल्ला, सुहनाम अन्नहा असुह ॥२८॥ अविरतादिः सुरायुर्बालतपा अकामनिर्जरे। जयति सरलोडगौरववान् शुभनाम अन्यथाऽशुभम् ॥
અર્થ—અવિરતિસમ્યગ્દષ્ટિ વગેરે વૈમાનિક) દેવનું આયુષ બાંધે છે; તથા અજ્ઞાન તપ કરનાર અકામ નિર્જરાયુક્ત જીવ (અસુર દિ) દેવનું આયુષ બાંધે છે. સરલ અને ગૌરવ (મેટાઈ) રહિત શુભનામ કમની પ્રકૃતિને બાંધે છે અને તેથી ઉલટી રીતે અશુભ નામ કર્મની પ્રતિઓ બાંધે છે. | ભાવાર્થ – અવિપતિસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને -સરગસ યમી વૈમાનિક દેવનું આયુષ બાંધે છે. વીતરાગસંયમી -- આયુષને બંધ કરતા નથી, કેમકે આયુષને બંધ ઘેલના (ડામાડોળ) પરિણામે થાય છે, અને તે અત્યંત વિશુદ્ધ પરિણામવાળે હોવાથી તેને ઘેલના પરિણામ લેતા નથી. બોલતપરવી–પરમાર્થ જાણ્યા સિવાય દુ:ખગર્ભિત અને મેહગર્ભિત વૈરાગ્યયુક્ત અને અજ્ઞાનપૂર્વક તપ કરનાર અસુર આદિનું આયુષ બાંધે છે. ઈચ્છા વિના પરાણે ભૂખ. તરસ, ટાઢ, તડકો સહન કરવાથી, બ્રહ્મચર્ય પાલન કરવાથી,
ર૬-૨૭–૨!. ઘડો પરિગ્રહ, સ્વ૯૫ આરંભ, સ્વાભાવિક થતા અને સરલતા, કાપિત અને પીતલેશ્યા, ધર્મ ધ્યાનમાં અનુરાગ, પ્રત્યાખ્યાન કષાય, મધ્યમ પરિણામ, દાન આપવું, દેવ ગુની પૂજા પૂર્વે બોલવું, પ્રિય વચન, સુખપૂર્વક બોધ પામવાની યોગ્યતા અને લેકવ્યવહારમાં મધ્યસ્થપણું એ સઘળા મનુયાયુધના હેતુઓ છે.
'