________________
ઉપર
કર્મવિપાક-વિવેચનસહિત (=આચારથી યુક્ત, કષાય ઉપર વિજય કરનાર, દાનયુકત અને ધર્મને વિષે દઢ મનવાળ વગેરે સાતા વેદનીય કમઉપાર્જન કરે છે (અને તેનાથી) વિપરીત પણે અસાતા દિનીય કર્મ બાંધે છે. | ભાવાર્થ –માતા, પિતા, ધર્માચાર્ય આદિ પૂજ્યવર્ગ ગુરુ કહેવાય છે, તેની ભક્તિ એટલે તેને વિષે મનથી બહુમાનભાવ રાખવે, વચનથી સ્તુતિ કરવી, અને કાયાથી સેવા કરવી, ક્ષમા-કોઇને ત્યાગ કરે, કરુણ-સર્વે જી વિષે દયા કરવી, વ્રત–અણુવ્રત તથા મહાવ્રતને સ્વીકાર કરે, યોગ-દશ પ્રકારની સામાચારી રૂપ સાધુઓના આચારનું પાલન કરવું, ક્રોધાદિ કષાય ઉપર વિજય મેળવ એટલે તેને નિષ્ફળ કરે, દાન આપવું, આપત્તિમાં પણ ધર્મને વિષે દઢતા રાખવી, આદિ શબ્દથી ધર્મને વિષે પ્રીતિ રાખવ, વૃદ્ધ, રોગી વગેરેનું વૈયાવૃત્ય કરવું, જિનપૂજા કરવી ઈત્યાદિ હેતુઓ વડે જીવ સાતા વેદનીય કર્મ બાંધે છે. '
તેનાથી વિપરીત રીતે ગુરુની અવજ્ઞા કરનાર, કોબી, નિર્દય, વ્રત અને યોગથી રહિત, અત્યંત કષાયવાળે, કૃપણ, સુધર્મના કાર્યને વિષે પ્રમાદી, હાથી, ઘેડા, બળદ પ્રમુખનું નિર્દય દમનવડે વાહન કરનાર, તેના અવયને છેદનાર, પિતાને અને પરને દુઃખ, શોક, વધ, સંતાપ, આકદનાદિ કરનાર અસાતવેદનીય કર્મ બાંધે છે.
(૧૫૧મા પેજની ટિપ્પણીની સાક્ષી ગાથાઓને અર્થ :-) વીતરાગની પૂજા, ગુરુની ઉપાસના, પાત્રને વિષે દાન, દયા, ક્ષમા, સરાગ સંયમ, દેશવિરતિ, અકામનિજારા, શૌચ (ત્રતાદિને વિષે દેશ ન લગાડવા), અજ્ઞાનયુક્ત તપ તે સાતા વેદનીય કર્મબંધન હતુએ છે.
દુ:ખ, શોક, વધ, સંતાપ, આકંદન અને પોતાને વિશે, અન્યને વિષે, ઉભયને વિષે, શેક કરે–તે અસાતા વેદનીય કમનો હેતુ છે.