________________
૧૪૮
કમવિપાક-વિવેચનસહિત પ્રતિબક આ કર્મ છે. જે કર્મના ઉદયથી વિરતિ સિવાય આહારાદિ વસ્તુઓને પોતાના માટે ઉપયોગ ન કરી શકે તે ભોગાન્તરાય.
ઉપભોગતરાય-જે વસ્તુઓને વારંવાર ઉપયોગ થાય (વારંવાર ભોગવાય) એવા વસ્ત્રાદિને ઉપભોગ કહેવાય છે. જે કર્મના ઉદયથી વિરતિ સિવાય વસ્ત્રાદિ વસ્તુઓ વિદ્યમાન છતાં તેને ઉપયોગ ન કરી શકે તે ઉપભોગાન્તરાય,
વીર્યાન્તરાય–વીય–સામર્થ્ય, શક્તિ, તેના ઉપયોગ માં આ કર્મ પ્રતિબંધક છે. જે કર્મના ઉદયથી બલવાન, નીરોગી અને જુવાન છતાં પિતાના સામર્થ્યને ઉપગ ન કરી શકે તે વર્યાન્તરાય.
પૂર્વોક્ત અંતરાય કર્મના ક્ષપશમથી દાનાદિક ગુણોની વ્યાવહારિક પ્રવૃત્તિ હોઈ શકે છે, જ્યારે તેને સર્વથા ક્ષય થાય છે ત્યારે તે દાનાદિ ગુણે લધિરૂપે-શક્તિરૂપે વિદ્યમાન હોય છે, પણ તેની વ્યાવહારિક પ્રવૃત્તિ થતી નથી. તે અવ
સ્થામાં તે નેશ્ચયિક દાનાદિ હોય છે–૧. સર્વ વસ્તુના ત્યાગ રૂપ દાન, ૨. ઈચ્છાને અભાવ કે આત્મિકશુની પ્રાપ્તિરૂપ લાભ, આત્મિક ગુણને ભેગ કે ઉપભેગા કરવા રૂપ ભેગ કે ઉપલેગ, અને આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવા રૂપ સ્વાભાવિક વીર્ય હોય છે.
હવે અંતરાયકર્મ ભંડારીના સમાન બતાવે છે – सिरिहरियसमं एय', जह पडिकूलेण तेण रायाई । न कुणइ दाणाईयं, एवं विग्घेण जीवो वि ॥५२॥