________________
કમવિપાક-વિવેચનસહિત ૧૭ સુંદર અને બુદ્ધિમાન છતાં પણ લેકના તિરરકારને પાત્ર થાય છે. •
ઉચ્ચગેત્ર-જે કમના ઉદયથી નિધન, કુરૂપ બને બુદ્ધિરહિત છતાં મનુષ્ય ઉચ્ચ કુલમાં જન્મ ધારણ કરવા માત્રથી પ્રશંસા પામે તે ઉચ્ચગોત્ર.
નીચગેવ-જે કર્મના ઉદયથી ધનવાન, સુંદર અને બુદ્ધિમાન છતાં નીચ કુલમાં જન્મ ધારણ કરવાથી નિન્દાપાત્ર થાય તે નીચત્ર.
આત્મામાં સ્વાભાવિક રહેલી દાનાદિ શક્તિઓને નાશ કરનાર જે કમ તે અંતરાયકમ. તેના પાંચ પ્રકાર છે:-૧ દાનાન્તરાય, ૨. લાભાન્તરાય, ૩. ભોગાન્તરાય, ૪. ઉપગન્તરાય, ૫. વીર્યાન્તરાય.
દાનાન્તરાયા–પિતાના અને બીજાના ઉપકારને માટે પિતાની વસ્તુ પાત્રને આપવી તે દાન. તેમાં દાનાન્તરાચ કમ પ્રતિબન્ધ કરે છે. જે કમના ઉદયથી આપવા લાયક વસ્તુ હોવા છતાં, ગુણવાન પાત્ર વિદ્યમાન હોવા છતાં, દાનનું ફળ જાણવા છતાં, આપી ન શકે તે દાનાન્તરાય કર્મ. - લાભાન્તરાય -ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થવી તે લાભ, તેમાં આ કર્મ પ્રતિબંધ કરે છે. જે કર્મના ઉદયથી દાતા પાસેથી માગવા છતાં પણ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ ન થાય
તે લાભાન્તરાય. જેમ કાષભદેવ ભગવાનને લાભાન્તરાય - કર્મના ઉદયથી એક વર્ષ સુધી આહાર ન મળે.
ભેગાન્તરાયઃ—જે 'વસ્તુને એકવાર ઉપગ થઈ શકે એવા પુષ્પ, આહાર પ્રમુખ ભોગ કહેવાય છે, તેમાં