________________
કમરવિપાક-વિવેચનસહિત
૧૪૧ ---- ----------- ---
ગુરુ-ધીમેચ્છવાસ નામકર્મના ઉદયથી શ્વાસોચછવાસની લબ્ધિ (શક્તિ) ઉત્પન્ન થાય છે, તે પણ શ્વાસછવાસ પર્યાપ્તિ સિવાય તેને પરિણામાદિ વ્યાપાર થઈ શકતે નથી, માટે શ્વાસોચ્છવાસ પર્યાપ્ત માનવી જોઈએ. पत्तेय तणू पत्तंउदएणं दतअद्विमाइ थिर। नाभुवरि सिराइ सुह, सुभगाओ सव्वजणइट्ठो ॥४९॥ प्रत्येक तनुः प्रत्येकोदयेन दन्तास्थ्यादि स्थिरम् । नाभ्युपरि शिर आदि शुभं सुभगात्सर्वजनेष्टः ॥
અર્થ – પ્રત્યેકનામકર્મના ઉદયથી જીવને પ્રત્યેકપૃથફ પૃથક શરીર પ્રાપ્ત થાય છે. સ્થિરનામકર્મના ઉદયથી દાંત હાડકા આદિ અવય સ્થિર-કઠણ હોય છે. શુંભ, નામકર્મના ઉદયથી નાભિની ઉપરના શિર આદિ અવય શુભ હોય છે, અને સુભગનામકર્મના ઉદયથી સર્વજનને પ્રિય લાગે છે.
પ્રત્યેકનામ:- જે કર્મના ઉદયથી દરેક જીવને ભિન્ન ભિન્ન ઔદારિક કે વૈક્રિય શરીર પ્રાપ્ત થાય તે પ્રત્યેકનામ કર્મ.
શુભનામ- જે કર્મના ઉદયથી નાભિની ઉપરના અવય શુભ હય, જેથી શિર, હાથ પ્રમુખ અવયવને સ્પર્શ કરવાથી સામો માણસ ખુશી થાય છે તે શુભનામ કર્મ
- 'સુભગ નામ-જે કર્મના ઉદયથી ઉપકાર નહિ કરવા છતાં પ્રાણી સર્વાના મનને પ્રિય લાગે તે સુભગનામ કર્મ..