________________
કર્મવિપાક-વિવેચનસહિત ૧૨૭ ૩. ઈન્દ્રિય પર્યાપ્તિ, ૪ શ્વાસોચ્છવાસપર્યાપ્તિ પ. ભાષા પર્યાપ્તિ, ૬ મન:પર્યાપ્ત.
(૧) આહારપર્યાપ્તિ –-પુદગલના ઉપચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિવડે આત્મા આહાર ગ્રહણ કરો, તેને રસરૂપે પરિણામ કરે તે આહારપર્યાપ્ત. આત્મા ભવાન્તરમાં ઉત્પત્તિ સમયે આહારોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરી, તેનાથી ઉત્પન્ન થયેલી શક્તિ વડે તેને રસરૂપે પરિણુમાવે છે. અહીં આહારપર્યાપ્તિ અને તેનું કાર્ય આહારનું ગ્રહણ તથા પરિણામ-એ સર્વ પ્રથમ સમયે થાય છે.
(૨) શરીર પર્યાપ્ત – પુદ્ગલના ઉપચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિ વડે રસરૂપ થયેલા આહારને રસ, રુધિર, માંસ, મેદ (ચરબી), અસ્થિ, મજજા (હાડકામાં રહેલો નેહ) અને વીર્ય-એ સાત ધાતુમય શરીરરૂપે પરિણમા તે શરીરપર્યાપ્તિ. યદ્યપિ વૈક્રિય તથા આહારક શરીરે સાત ધાતુમય નહિ હોવાથી આહારને પરિણામ સાત ધાતુરૂપે થતું નથી, તે પણ તેના શરીરરૂપે પરિણામ થાય છે, સાત ધાતુરૂપ પરિણામ માત્ર ઓઢારિક શરીરને આશ્રયી સમજ.'
(૩) ઇન્દ્રિય પર્યાપ્તિ – પુદ્ગલના ઉપચયથી થયેલી જે શક્તિવડે શરીરમાંથી એક, બે, ત્રણ, ચાર કે પાંચ ઇન્દ્રિયને ચોગ્ય પગલે ગ્રહણ કરી તેને ઈન્દ્રિયરૂપે પરિણમવે, તે ઇન્દ્રિય પર્યાપ્ત. (૪) થાસોચ્છવાસ પર્યાપ્તિ -- પુગલના ઉપચયથી