________________
૧૩૪ કર્મવિપાક-વિવેચનસહિત
અર્થ– ત્રસનામ કર્મના ઉદયથી જીવે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય થાય છે. બદરનામ કર્મના ઉદયથી જે બાદર-સ્કૂલ, ચક્ષુથી દેખી શકાય તેવા શરીરવાળા થાય છે. પર્યાપ્તનામ કર્મના ઉદયથી જીવો પિતાની યોગ્ય પર્યાપ્તિવડે યુક્ત હોય છે. તે પર્યાપ્ત લબ્ધિ અને કરણથી બે પ્રકારના છે. '
ભાવાર્થ – પ્રયજનના વશથી જે એક ઠેકાણેથી બીજે સ્થાને જઈ શકે તે ત્રસ. ત્રપણું બેઈન્દ્રિય, તેઈ– ન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને વિષે હોય છે.
ત્રનામઃ—જે કર્મના ઉદયથી જીવ ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટના પરિહાર (ત્યાગ) માટે એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે તે ત્રસનામ.
બાદરનામ–જે કર્મના ઉદયથી જીવો બાદર પરિણામ વડે પરિણત થાય તે બાદરનામ.
૧. બાદરનામ કમના ઉદયથી જીવને ચક્ષુથી દેખી શકાય તેવા શરીરની પ્રાપ્તિ થાય છે. યદ્યપિ પૃથિવીકાયાદિકનું પ્રત્યેક શરીર ચક્ષુથી દેખી શકાતું નથી, તે પણ તેને સમુદાય દેખી શકાય છે; સૂક્ષ્મ જીનાં શરીરે ગમે તેટલાં એકઠાં થાય તે પણ તે દેખી શકાતા નથી. પ્રાચીન કવિપાકમાં કહ્યું છે કે –“વાયરनामुदएण बायरकाओ उ होइ सो नियमा" । ( गा. १३५ ) ( બાદરનામ કર્મના ઉદયથી જીવ નિશ્ચયથી બાદર શરીરવાળે થાય છે.) પરતું આ નવીન કમવિપાકની પણ ટીકામાં કહ્યું છે કે:-“ચક્ષુથી ગ્રહણ કરવા ગ્ય એવા બાદર શરીરની કે શરીરના સમુદાયની પ્રાપ્તિ તે બાદરનામ કર્મને વિપાક છે-એમ કહેવું ઈષ્ટ નથી, કેમકે બાદરનામ કર્મ જીવવિપાકિની (ખાસ છવને વિપાક આપનારી) પ્રકૃતિ હોવાથી શરીરાદિ