SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક-વિવેચનસહિત ગ્ય સ્થળે ગઠવે છે. માટે તે સુતારની તુલ્ય છે. જેમ સુતાર પુતળીના અવયની યોગ્ય સ્થળે ગોઠવણ કરે છે, તેમ નિર્માણનામ કર્મ અંગોપાંગનામ કર્મથી નિષ્પન્ન થયેલ અંગ અને ઉપાંગની યોગ્ય સ્થળે ગેડવણ કરે છે, તેના અભાવમાં મસ્તક, ઉદર, હાથ પગ ઇત્યાદિ અવની યથાસ્થળે ગોઠવણ થઈ શકે નહિ. નિર્માણનામ:- જેના ઉદયથી અંગોપાંગની પ્રતિનિયત સ્થાને વ્યવસ્થા થાય તે નિર્માણનામ કમે. ઉપઘાતનામકર્મના ઉદયથી પ્રાણુ પિતાના શરીરના અધિક કે વિકાર પામેલા અવય-લંબીકા, પડછો , ચોરદાંત, રસોળી પ્રમુખથી તે દુઃખ પામે તે ઉપધાતનામ. ઉપઘાતનામ–જે કર્મના ઉદયથી પિતાના શરીરના અધિક કે વિકૃત થયેલા અવય વડે પિતે હણાય, અથવા ગળે ફાંસે બાવા વગેરેથી પિતાને વાત કરે તે ઉપઘાતનામ. આઠ પ્રત્યેક પ્રકૃતિનું સ્વરૂપ વર્ણવ્યું, હવે વસ દશકનું સ્વરૂપ કહેતાં પ્રથમ ત્રસનામ, બાદરનામ, અને પર્યાપ્ત નામનું સ્વરૂપ બતાવે છે – वि-ति चउ-पणिदिय तसा, बायरओ बायरा जीया चला। नियनियपज्जत्तिजुआ, पज्जत्ता लद्धिकरणेहिं ॥ ४८ ।। द्वि-त्रि-चतुः-पञ्चेन्द्रियास्त्रसाद् बादरतो बादरा जीवाः स्थूलाः । निजनिजपर्याप्तियुताः पर्याप्ताद् लब्धिकरणाभ्याम् ।
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy