________________
૧૭
દેખાડે છે, ત્યારે બીજુ શાસ્ત્ર આત્માની સત્તાનું વર્ણન કરી આત્માની સત્તા પુદ્ગલની સત્તાથી ભિન્ન છે તેમ દેખાડે છે.
' વિષય પ્રવેશ. કર્મશબ્દ લેકવ્યવહાર અને શાસ્ત્રમાં અનેક અર્થમાં પ્રવર્તે છે, પરંતુ અહીં તે રાગદ્વેષાદિ આત્માના વિભાવપરિણામ અને તે દ્વારા આકર્ષિત થયેલા કામણ જાતિના પુદ્ગલે એ બને અર્થમાં વપરાયેલ છે. પ્રથમ પ્રકારના કર્મને ભાવકર્મ અને બીજા પ્રકારના કર્મને દ્રવ્ય કર્મ કહે છે. રાગદ્વેષાદિની ઉત્પત્તિ પણ પૂર્વના ઉદિત થયેલા દ્રવ્ય કર્મના નિમિત્તથી જ થાય છે, માટે તે વિભાવ પરિણામ કહેવાય છે. જે અવસ્થાની ઉત્પત્તિમાં ઈતર વસ્તુ નિમિત્તભૂત કે સહાયરૂપ હેય તે વિભાવ પરિણામ કહેવાય છે, અને જેની ઉત્પત્તિમાં ઈતર વસ્તુ નિમિત્તભૂત ન હોય તે સ્વભાવ પરિણામ કહેવાય છે. દ્રવ્યકર્મની ઉત્પત્તિમાં રાગાદિ વિભાવ પરિણામ હેતુ છે, અને રાગાદિ વિભાવ પરિણતિમાં દ્રવ્યકર્મ હેતુ છે. જે એમ ન હોય તે રાગાદિ પરિણામ સ્વભાવભૂત થઈ જાય અને મુક્તિ અસંભવિત થઈ જાય. દ્રવ્યકમ અને ભાવકને પરસ્પર કાર્યકારણભાવ છે, અને એ બને પ્રવાહરૂપે અનાદિ છે. દ્રવ્યકર્મના ઉદય વડે રાગાદિ પરિણતિરૂપ ભાવકર્મ થાય છે અને ભાવકર્મ વડે પુનઃ દ્રવ્યકર્મ બંધાય છે. આ પ્રમાણે દ્રયકર્મ અને ભાવકર્મની , પરંપરા અમુક કાળે શરૂ થઈ એમ નથી, પણ અનાદિ