________________
૧૩૦ કર્મવિપાક-વિવેચન સહિત ઉષ્ણસ્પર્શનામકર્મના ઉદયથી હોય છે અને તે ઉત્કટ લેહિતવર્ણન ઉદયથી પ્રકાશ કરે છે.
આતપનામ- જે કર્મના ઉદયથી જીવનું શરીર પિતે અનુણ છતાં ઉષ્ણ પ્રકાશરૂપ તાપ ઉત્પન્ન કરે તે આપનામ.
ઉદ્યોતનામકર્મનું સ્વરૂપ બતાવે છે – अणुसिणपयासरूवं, जियंगमुज्जोअए इहुज्जोआ । जइदेवुत्तरविक्किअ-जोइस-खज्जोअमाई व्व ॥४५॥ अनुष्णप्रकाशरूपं जीवाङ्गमुद्योतते इहोद्योतात् । यतिदेवोत्तरवैक्रियज्योति कखद्योतादय इव ।।
અર્થ:- અહી ઉદ્યોતનામ કર્મના ઉદયથી જીવનું શરીર અનુણ (શીત) પ્રકાશરૂપ ઉદ્યોત કરે છે. જેમ, યતિ અને દેવનું ઉત્તર વૈકિય શરીર, ચંદ્રાદિ તિષિક વિમાનો, તથા ખજુઓ વગેરે [ઉદ્યોત કરે છે. | ભાવાર્થ- જ્યારે ક્રિય લબ્ધિવાળા સાધુ તથા દે પિતાના મૂળ શરીરથી ઉત્તર–બીજું વૈક્રિય શરીર કરે છે, ત્યારે તે શરીર શીત પ્રકાશ કરે છે તથા ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, અને તારાનાં વિમાને તેમજ ખજુઓ વગેરે છે, આદિ શબ્દથી રત્ન, મણિ અને ઔષધિ વગેરે શીત પ્રકાશ આપે છે, તે સર્વ ઉદ્યોતનામ કર્મના ઉદયથી સમજવું.
ઉદ્યોતનામ - જે કર્મના ઉદયથી યતિ વગેરેના કિય શરીરાદિની પેઠે જીવનું શરીર શીત પ્રકાશ કરે તે ઉદ્યોતનામ.