________________
૧૧૮
કમવિપાક વિવેચનસહિત कीलिका सेवार्तमिह ऋषभः पट्टश्च कीलिका वज्रम् । उभयतो मर्कटबन्धो नाराचमिदमुदाराङ्गे ॥
અર્થ - હાડકાંઓના નિચયને–રચનાને સંઘયણ કહે છે. તેના છ પ્રકાર છે- ૧. વજaષભનારાચ, ૨. ત્રષભનારા; ૩. નારાચ; ૪. અદ્ધનારાચ; ૫. કાલિકા ૬ છેવ –સેવાર્ત. અહીં કષભ એટલે પાટે, વજ એટલે ખીલી, અને નારાચ એટલે બન્ને પાસે મર્કટબંધ. આ સંઘયણે માત્ર ઔદારિક શરીરને વિષે હોય છે.
ભાવાર્થ – શરીરની દઢતાને આધાર અસ્થિની રચના ઉપર છે, અને તેને જ સંઘયણ કહે છે. અસ્થિને સંભવ માત્ર દારિક શરીરને વિષે હોવાથી બીજા વૈક્રિયાદિ શરીરને વિષે સંઘયણ નથી. સૂત્રમાં દેવેને વાઋષભનારાચ સંઘયણવાળા કહ્યા છે તે માત્ર શક્તિની અપેક્ષાએ જાણવું. એટલે દેવે વાષભનારાચસંઘયણવાળાની પેઠે દઢ શરીર વાળા છે.
૧ વજનષભનારાચનામ:- બે હાડકાને મર્કટબંધવડે બાંધેલા હોય, તેના ઉપર ત્રાષભ એટલે પાટાના આકારવાળું હાડકું વીંટાયેલું હોય, અને ત્રણ હાડકાને ભેદનાર વજ એટલે ખીલીના આકારવાળાં હાડકાથી મજબુત થયેલ એવું તે વાત્રાષભનારાચસંહનન. તેનું કારણ જે કર્મ તે વાકાષભનારાચસંઘયણનામકર્મ.
૨ ઋષભનારાચનામ:- માત્ર ખીલી રહિત પૂર્વોક્ત જે હાડની રચના તે 2ષભનારાચ, તેનું કારણ જે કર્મ તે ભાષભનારાચસંઘયણનામ કર્મ