SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ કમરવિપાક-વિવેચનસહિત ' અર્થા:- જેમ દંતાળી તૃણના સમૂહને એકઠા કરે, તેમ ઔદારિકાદિ શરીરના પુદ્ગલેને (શરીર રચનાનુસાર) એકઠા કરે તે સંઘાતનામ કમ. તે બંધનની પેઠે શરીરના નામે પાંચ પ્રકારે છે. | ભાવાર્થ- જે કર્મના ઉદયથી ઔદારિક શરીરરૂપે પરિણામ પામેલા યુગલેને દારિક શરીરની રચનાને અનુકૂલ સંઘાત (સમૂહ) વિશેષ થાય તે ઔદારિક સંઘાતમામ કર્મ. એ પ્રમાણે વૈકિયાદિસંઘાતનામ કર્મ જાણી લેવા. પ્રવ–સંઘાતનામકર્મ શું કાર્ય કરે છે? જે પગલેને જ કરે છે એમ કહેશે તે તે જ પુદગલને ગ્રહણ કરવા માત્રથી થઈ શકે, અને પુદ્ગલેને ગ્રહણ કરવામાં દારિકાશિરીરનામ કમને ઉપયોગ છે, તે પછી સંઘાતનામકર્મ માનવાની શી જરૂર છે ? ઉ૦-સંઘાતનામકર્મનું કાર્ય માત્ર પુદગલેને એકઠા કરવાનું નથી, પણ શરીરરચનાનુસારે પુદ્ગલોના જથ્થા કરવાનું છે. થપિ પુદ્ગલેનો જથ્થ ગ્રહણ કરવા માત્રથી થઈ શકે છે. પરંતુ પ્રતિનિયત પ્રમાણ શરીર રચનાને અનુકૂળ જશે કરે તે ગ્રહણમાત્રથી થઈ શકે તેમ નથી, માટે ત્યાં સઘાતનામ કમને વ્યાપાર છે. તે પાંચ પ્રકારે છે :(૧) ઔદારિકસંઘાતનનામકર્મ, (૨) વૈકિયસંઘાતનનામકર્મ; (૩) આહારકસંઘાતનનામકર્મ, (૪) તેજસસંઘાતનનામકર્મ (૫) કાર્માણસંઘાતનનામકર્મ, સંઘાતનનામકર્મના પાંચ ભેદ કહ્યા, હવે બંધનનામકર્મના પંદર ભેદ કરવા માટે બંધનના પંદર ભેદ બતાવે છે :કર્મ. ૮
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy