________________
૧૧૧
--
કર્મવિપાક-વિવેચનસહિત આકૃતિ જીવપ્રદેશને અનુસાર હોય છે, માટે દારિકાદિ શરીરના અંગે પાંગે છે, અને તૈજસ કામણ શરીરના નથી. આ અંગોપાંગનામ કર્મ કહ્યું, હવે બન્ધનનામકર્મનું સ્વરૂપ કહે છે – उरलाइपुग्गलाणं, निबद्ध-बज्झतयाण संबध ।
ગુરુ જ્ઞાસમ ત, વરાઇ ને રૂ . औदारिकादिपुद्गलानां निबद्ध-बध्यमानाना सबन्धम् । यत्करोति जतुसम तदौदारिका दिबन्धन ज्ञेयम् ॥ ' અર્થ–પૂર્વે બાંધેલા અને હમણાં બંધાતા ઓદારિકાદિ ગુગલનો સંબંધ લાખની પેઠે જે કરે તે ઔદારિકાદિ બંધન જાણવા.
ભાવાર્થ-જેમ લાખ લાકડાના કકડાને પરસ્પર જોડી દે છે, તેમ બંધનનામ કર્મ પહેલાં બાંધેલા ઔદારિ. કાદિ શરીરના પુલની સાથે હમણાં બંધાતા ઔદારિકાદિ પુદ્ગલેને જોડી દે છે. તેના શરીરનામની પેઠે પાંચ પ્રકાર છે
૧. ઔદારિકબન્ધનનામ–જે કર્મના ઉદયથી પહેલાં ગ્રહણ કરેલા દારિક પુદ્ગલેની સાથે હમણાં ગ્રહણ કરાતા ઔદારિક પુદ્ગલેને સંબધ થાય તે ઔદારિક
મ-ધનનામ.
૨. વક્રિયબંધનનામ:--જે કર્મના ઉદયથી પૂર્વ ગ્રહણ કરેલા વૈકિય પુદ્ગલની સાથે હમણ ગ્રહણ કરાતા વેકિય પુદ્ગલેને સંબન્ધ થાય તે વૈક્રિયાબંધનનામ.