________________
૧૧૦ કમરવિપાક-વિવેચનસાહિત ''. અર્થ- બે હાથ, બે ઉરુ, પીઠ, મસ્તક, છાતી અને ઉદર એ આઠ અંગે છે; આંગળી પ્રમુખ ઉપાંગ છે; અને બાકીના આંગળીના વેઢા અને રેખા વગેરે અંગે પાંગ છે. પ્રથમના ત્રણ શરીરને ઉપાંગો (= અગોપાંગો) છે.
ભાવાર્થ – દારિક, વૈક્રિય અને આહારક–એ ત્રણ શરીરના ઉપાંગે હોય છે :-૧. ઔદારિકશરીરોપાંગ, ૨. શૈકિયશરીરોપાંગ અને ૩. આહારકશરીરોપાંગ. ( ૧ ઔદારિક શરીરે પાંગનામ:- જે કર્મના ઉદયથી ઔદારિક શરીરરૂપે પરિણામ પામેલા પુદ્ગલેને ભિન્ન ભિન્ન અંગોપાંગરૂપે પરિણામ થાય તે ઔદારિક શરીરાગે પાંગનામ. ( ૨ વૈક્રિયશરીરે પાંગનામ :-જે કર્મના ઉદયથી વેકિયશરીરરૂપે પરિણામ પામેલા પુદ્ગલેને ભિન્ન ભિન્ન અંગોપાંગરૂપે પરિણામ થાય તે શૈક્રિયશરીરંગે પાંગનામકર્મ.
૩. આહારકશરીરે પાંગનામ – કર્મના ઉદયથી આહારકશરીરરૂપે પરિણત પુગલેને અંગોપાંગરૂપે પરિણામ થાય તે આહારકશરીરાંગોપાંગનામ. તેજસ અને કર્મણશરીરને ખાસ આકાર નથી, પણ તે બીજા શરીરની આકૃતિને અનુસરે છે, જેમ પાણીને જેવા વાસણમાં ભરીએ તે તેને આકાર થાય છે, તેથી પાણીને ખાસ આકાર કહી શકાતે નથી, તેમ જેવું બીજા શરીરનું સંસ્થાન હોય છે, તેને અનુસારે તૈજસ અને કાર્માણ શરીરનું સંસ્થાન હોય છે, તેથી તેના અંગોપાંગ નથી. ઔદારિકાદિ શરીરનાં અંગોપાંગની આકૃતિને જીવપ્રદેશ અનુસરે છે, અને તૈજસ કાર્મણની