SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ મેટો ભાગ પ્રાકૃત ભાષામાં રચાયે માલમ પડે છે. મૂલ ગ્રંથ સિવાય તેના ઉપર કેટલીક જૂની ટીકા પણ પ્રાકૃત ભાષામાં રચાઈ છે, જેને ચૂણિ કહેવામાં આવે છે. (૨) સંસ્કૃત-પ્રાચીન સમયમાં જે કર્મશાસ્ત્ર બન્યું છે તે બધું પ્રાકૃત ભાષામાં છે, પરંતુ ત્યાર પછી તેની ટીકા વગેરેની રચના સંસ્કૃત ભાષામાં છે, તથા મૂલ પ્રાકરણિક કર્મશાસ્ત્રની કોઈ કઈ રચના પણ બને સંપ્રદાયમાં સંસ્કૃત ભાષામાં થઈ છે. (૩) પ્રાદેશિક ભાષા :-આમાં મુખ્યપણે જૂની ગુજરાતી, કર્ણાટકી અને હિન્દી એ ત્રણ ભાષાઓનો સમાવેશ થાય છે. આ ભાષાઓમાં મૌલિક ગ્રંથ જૂજ છે, પરંતુ મુખ્યપણે તેને ઉપગ મૂળ તથા ટીકાનો અનુવાદ કરવામાં થયેલે છે. વિશેષ કરીને આ પ્રાદેશિક ભાષાઓમાં પ્રાકરેણિક કર્મશાસ્ત્ર ઉપર લખાયેલ ટીકા, ટિપ્પન, અનુવાદ વગેરે છે. દિગમ્બરીય સાહિત્યમાં કર્ણાટકી અને હીન્દી ભાષાને અને વેતામ્બરીય સાહિત્યમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ થયેલ છે. કર્મશાસ્ત્ર એ આધ્યાત્મિક શાસ્ત્ર છે અધ્યાત્મશાસ્ત્રને ઉદ્દેશ આત્માના પારમાર્થિક અને વૈભાવિક સ્વરૂપનું સત્યજ્ઞાન પ્રાપ્ત કરાવવું એ છે. કર્મશાસ્ત્રમાં આત્માના વૈભાવિક સ્વરૂપની મુખ્યપણે ચર્ચા છે અને ભાવિક સ્વરૂપને અભાવ થવાથી પારમાર્થિક સ્વરૂપ પ્રાપ્ત થાય છે તેની ચર્ચા ગૌણપણે છે. અધ્યાત્મશાસ્ત્રમાં મુખ્ય
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy