________________
૮ કવિપાક–વિવેચનસહિત યશકીર્તિનામ-એ ત્રસાદિ દશ પ્રકૃતિએ ત્રસદશક કહેવાય છે, અને સ્થાવરદશક આ ( =નીચે મુજબ) છે.
સ્થાવરદશક કહે છે – થાવર-gg-g, સાર–fથર-શકુમ-મwiળા दुस्सर-णाइज्जा-जस मिअ नामे सेअरा वीसं ।। २७॥
સ્થાવર-સૂક્ષ્મા-પર્યાપ્ત સાધારા-થિયા-સુમ-દુર્માના दुःस्वरो-नादेया-यश इति नाम्नि सेतरा विंशतिः ।।
અર્થ-સ્થાવરનામ, સૂક્ષ્મનામ, અપર્યાપ્તનામ, સાધારણ નામ, અસ્થિરનામ, અશુભનામ, દુર્ભગનામ, અનાય નામ, અયશનામ–એ પ્રમાણે ઈતર વિરોધી ( ત્રસદશક ) સહિત નામકર્મને વિષે વિશ પ્રવૃતિઓ જાણવી.
ચૌદ પિંડપ્રકૃતિએ, આઠ પ્રત્યેકપ્રકૃતિએ, ત્રસદશક અને સ્થાવરદશક મળી નામકર્મના બેતાલીશ ભેદ કહ્યા.
હવે પ્રસંગથી કર્મસ્તરાદિ કર્મગ્રન્થમાં ઉપયોગી કેટલીક પારિભાષિક સંજ્ઞાઓ જણાવે છેतसचउ-थिरछक्क अथिरछक्क-सुहुमतिग-थावरचउक्कं । सुभगतिगाइविभासा, तयाइसंखाहिं पयडीहिं ॥ २८ ॥
त्रसचतुष्क-स्थिरषद्क-मस्थिरषट्क-सूक्ष्मत्रिक-स्थावरचतुष्कम् । सुभगत्रिकादिविभाषा तदादिस ख्याभिः प्रकृतिभिः ॥
અર્થ - ત્રસચતુષ્ક, સ્થિરષક, અસ્થિરષક, સૂક્ષ્મત્રિક, સ્થાવરચતુષ્ક, સુભગત્રિક-વગેરે સંજ્ઞાઓ સંખ્યાની આદિમાં જે પ્રકૃતિ હોય ત્યાંથી માંડીને તેટલી સંખ્યાયુક્ત પ્રકૃતિઓની જાણવી.