________________
કમવિપાક-વિવેચનસહિત
अगुरुलहु-तित्थ-निमिणो वघायमिअ अट्ठ पत्तेआ॥२५॥ पिण्डप्रकृतिरिति चतुर्दश पराघातो-च्छवासा-तपो-द्योतम् । अगुरुलघु-तीर्थ निर्माणो-पघातमित्यष्टौ प्रत्येकाः ।।
અર્થ:- એ પૂર્વે કહેલી ચૌદ પિંડપ્રકૃતિઓ છે. ૧. પરા– ઘાત, ૨, ઉચ્છવાસ, ૩. આતપ, ૪. ઉદ્યોત, ૫. અગુરુલઘુ, ૬. તીર્થકર, ૭. નિર્માણ, અને ૮. ઉપઘાત-એ આઠ પ્રત્યેક પ્રકૃતિએ છે.
વિવેચન – પૂર્વની ગાથામાં કહેલી ગત્યાદિ ચૌદ પિંડપ્રકૃતિઓ છે. પિંડ-સમૂહ, જે એક પ્રકૃતિના અનેક ભેદ હોય તે પિડપ્રકૃતિએ કહેવાય છે. જેમ ગતિનામ; તેના ચાર અવાન્તર ભેદ (પેટા ભેદ) છે, માટે તે પિડપ્રકૃતિ છે. તે સિવાય આઠ પ્રત્યેક પ્રકૃતિએ છે, કેમકે તેના અનેક ભેદ નથી. જેના અવાન્તર ભેદ ન હોય તે પ્રત્યેક પ્રકૃતિએ કહેવાય છે.
હવે ત્રસાદિ દશ પ્રકૃતિઓનાં નામ કહે છે – તા-વાગર-ઉન્નત્ત, -fથ સ ર સુમાં सुसरा-इज्ज जसं तसदसगं थावरदसं तु इमं ॥२६॥
त्रस-बादर पर्याप्तं, प्रत्येक-स्थिरं शुभं च सुभगं च । सुस्वरा-देय-यशः सदशकं स्थावरदशकं त्विदम् ॥
અર્થ - ત્રસનામ, બાદરનામ, પર્યાપ્તનામ, પ્રત્યેકનામ, સ્થિરનામ, શુભનામ, સુભગનામ, સુસ્વરનામ, આદેયનામ, કર્મ. ૭