SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક-વિવેચનસહિત જેના ઉદયથી સ્થિતિ થાય તે સુરાયુ. આત્માની મનુષ્ય અને તિર્યંચગતિ સિવાય દેવ અને નરક એવી બે અવસ્થાએ છે. જે અવસ્થામાં પ્રાયઃ સુખને જ અનુભવ થાય તે સ્વર્ગ, અને પ્રાય: દુઃખને જ અનુભવ થાય તે નરક. કેટલાક પ્રાણીઓનું એવું અતિ ઉગ્ર પુણ્ય અને અતિ ઉગ્ર પાપ હોય છે, કે જેનું ફલ મનુષ્ય કે તિર્યંચની અવસ્થામાં ભોગવી શકાય નહિ, આથી તેનું ફળ ભોગવવા માટે સ્વર્ગ અને નરક માનવાની આવશ્યકતા છે. નરાયુઃ- નર એટલે મનુષ્યવૃત્તિ વસ્તુતમિતિ ના જે વિવેકથી વસ્તુ તત્વને નિશ્ચય કરે તે નર જેના ઉદયથી શારીરિક-માનસિક સુખ-દુઃખ યુક્ત મનુષ્યગતિમાં સ્થિતિ થાય તે નરાયુ. તિય"ચાયુ- જેના ઉદયથી સુધા, પીપાસા, શીત, તાપ આદિ દુખથીયુક્ત તિર્યચપણમાં સ્થિતિ થાય તે તિર્યંચાયુ. નરકાયુ- જેના ઉદયથી તીવ્ર શીત-ઉષ્ણુદિ વેદનાયુક્ત નરકમાં દીર્ઘકાળ સુધી સ્થિતિ થાય તે નરકાયુ. નામકમ- ગતિ જાતિ વગેરે અનેક પ્રકારના શરીરાશ્રિત પર્યાયનું કારણ તે નામ કર્મ. તે ચિત્રકાર સમાન છે. જેમ ચિત્રકાર અનેક પ્રકારના પુરુષ, સ્ત્રી, ગાય, ભેંસ વિગેરે રૂપે ચિતરે છે, તેમ નામકર્મ જીવના અનેકવિધ દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક વગેરે રૂપે કરે છે. તેના બેતા. ળીશ, ત્રાણું, એકસે ત્રણ અને સડસઠ પ્રકાર છે. હવે નામકર્મના બેંતાળીશ ભેદ કહેવા માટે પ્રથમ ચૌદ પિંડ પ્રકૃતિ કહે છે –
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy