________________
કર્મવિપાકવવેચનસહિત રીતે ચાર પ્રકારે આયુષ્ય કર્મ છે, અને તે હડિ (બેડી) ના સરખું છે. મકર્મ ચિતારા સમાન છે. તેના બેંતાળીશ, ત્રાણું, એકસો ત્રણ અને સડસઠ પ્રકાર છે.
આયુષ - જે કર્મના ઉદયથી પ્રાણું જીવે, અને જેના ક્ષયથી મરણ પામે તે આયુષ્યકર્મ. તે બેડીના સમાન છે, જેમ કેઈ ગુનેગારને અમુક મુદતની બેડીની સજા કરી હોય, અને જ્યાં સુધી સજાની મુદત પૂરી ન થાય ત્યાં સુધી તે બેડીમાંથી નીકળી શકે નહિ, તેમ જ્યાં સુધી આયુષ પૂરું ન થાય ત્યાં સુધી આત્મા આ સ્થૂલ શરીરને ત્યાગ ન કરી શકે.
સામાન્ય રીતે આયુષ્ય બે પ્રકારનું છે—અપવર્તનીય અને અનપવર્તનીય ચિન્તાદિક આંતર કારણ કે વિષ-શસ્ત્રાદિ બાહ્ય કારણથી લાંબા કાળ સુધી ભોગવવા લાયક આયુષ્ય છેડા કાળમાં ભોગવાય તે અપવર્તનીય, અને જેટલા કાળમાં ભોગવવા લાયક હેય તેટલા જ કાળમાં ભોગવાય પણ તેમાં ન્યૂનતા ન થાય તે અનપવર્તનીય, દેવ, નારક, ચરમશરીર, ઉત્તમ પુરુષ-તીર્થકર, ચકવત, વાસુદેવ, બલદેવ અને અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચનું અનપવર્તનીય આયુષ્ય હોય છે, અને તે સિવાય બાકીના જીનું અપવર્તનીય અને અનપવર્તનીય બને પ્રકારનું આયુષ હોય છે. તેના ચાર પ્રકાર છે. દેવાયુ, મનુષાયુ, તિર્યંચાયુ, અને નરકાયુ.
સુરાયુ – સુર-દેવ, સુપત્તિ સકારાયા હીરાને રૂતિ ૩૨. જે સહજ શરીરની કાન્તિથી શેભે તે સુર. જેમાં પ્રાય શારીરિક અને માનસિક સુખ છે એવી દેવગતિને વિષે