________________
કમરવિપાક-વિવેચનસહિત અનતાનુબંધી કષાય નરકને હેતુ, અપ્રત્યાખ્યાનાવરણ કષાય તિર્યંચગતિને હેતુ, પ્રત્યાખ્યાનાવરણ કપાય મનુષ્ય ગતિને હેતુ અને સંજવલન કષાય દેવગતિને હેતુ છે. આ કથન પણ પૂર્વની માફક કવાની તીવ્રતા અને મન્દતા સમજાવવા વ્યવહાર નયની અપેક્ષાએ છે, કેમકે અનન્તાનું બંધી કષાયના ઉદયમાં વર્તમાન જીવ ચાર ગતિના આયુષ્યને બંધ કરી ચારે ગતિમાં ગમન કરે છે. પરંતુ એટલી વિશેષતા છે કે તીવ્ર અનન્તાનુબધી કષાયના ઉદયે વર્તત જીવ નરકાયુષને બંધ કરી નરકગતિમાં જાય છે. હવે અપ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉદય અવિરતિ સમ્યગદષ્ટિને હોય છે તે માત્ર મનુષ્યાયુ, દેવાયુ અને તેની ગતિને અધ કરે છે, પણ નરાયુ કે તિર્યંચાયુ અને તેની ગતિને બંધ કરતું નથી. તેમજ પ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉદય દેશવિરતિને હોય છે. તે માત્ર દેવાયુ અને દેવગતિને બંધ કરે છે, પણ મનુષ્યાયુ અને મનુષ્યગતિને બંધ કરતે નથી. સંજવલન કષાયને ઉદય સંયત સાધુને હોય છે, તે દેવાયુ અને દેવગતિને બંધ કરે અથવા ન પણ કરે. તેથી અન. તનુબધ્યાદિક કષાયે નરકાદિક ગતિના કારણ છે તે સ્થૂલ દષ્ટિથી કહેલું છે.
અનન્તાનુબંધી કષાય સમ્યક્ત્વ, અપ્રત્યાખ્યાનાવરણ દેશવિરતિને, પ્રત્યાખ્યાનાવરણ સર્વવિરતિને અને સંજવલન યથાખ્યાત ચારિત્રને ઘાત કરે છે, કેમકે અનન્તાનુબધી કવાયના ઉદયમાં ક્ષાયિક ક્ષાપશમિક કે ઔ શમિક કઈ પણ સમ્યક્ત્વ હેતું નથી. અપ્રત્યાખ્યાનાવરણ કષાના ઉદ
વિરતિન
ઘા
ભાડ કરી