SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ કર્મવિપાક-વિવેચનસહિત વિવેચન -અનન્તાનુબંધી કષાય યાજછવ પર્યન્ત, અપ્રત્યાખ્યાન કષાય વર્ષપર્યન્ત, પ્રત્યાખ્યાનાવરણ ચાર માસ પર્યન્ત અને સંજવલન કષાય પંદર દિવસ સુધી રહે છે.કવાની તીવ્રતા અને મન્દતા બતાવવા માટે સ્કૂલ વ્યવહારનયને આશ્રયી ઉપરની સ્થિતિનું કથન છે. કેમકે બાહુબલિને સંજવલન કષાય એક વર્ષ સુધી અને પ્રસન્નચંદ્ર રાજર્ષિને અનન્તાનુબન્ધી અન્તર્મુહૂર્ત કાળ રહ્યો છે. તે સિવાય અન્ય સાધુઓને આકર્ષાદિક પ્રસંગે પ્રત્યાખ્યાન,અપ્રત્યાખ્યાન અને અનન્તાનુબન્ધી કષાયની અન્તર્મુહૂર્નાદિ કાળની સ્થિતિ સંભવે છે. જેમ કે મનુષ્યને અમુક નિમિત્ત કેઈ અન્ય માણસને ઉપર તીવ્ર કેદ થયે, તે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તેના અંતઃકરણમાંથી જતું નથી, તે તીવ્ર કષાય તે અનન્તાનુબંધી જાણ. કોઈ માણસને માત્ર વર્ષ પર્યન્ત ક્રોધ રહે, વરસ પછી સાંવત્સરિક પ્રતિકમણ કાળે સામણા કરવાથી કે બીજી રીતે નાશ પામે તે અને પૂર્વથી કાંઈક મન્દ તે અપ્રત્યાખ્યાનાવરણ કે મનુષ્યને ચાર માસ પર્યન્ત ક્રોધ રહે, ચાર માસ પછી ચાતુર્માસિક પ્રતિક્રમણ કરતાં ખમાવતાં નાશ પામે તે અને પૂર્વથી મન્દ કષાય તે પ્રત્યાખ્યાનાવરણ કેઈ જીવને પક્ષ સુધી કે ધ રહે. પછીથી પાક્ષિક પ્રતિક્રમણ કાળે સર્વ જીવને ખમાવતાં નાશ પામે તે અને પૂર્વથી મન્દ કષાય તે સજલન. આવી રીતે સહેલાઈથી કષાની તીવ્રતા અને મન્દતા પરસ્પર જણાવવી એવું તાત્પર્વ આ સ્થિતિકથનનું હોય તેમ સંભવિત છે. અન્યથા ઉપર કહેલી સ્થિતિની સાથે કષાને સંબધ કઈ પણ રીતે ઘટી શકતા નથી.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy