________________
કમરવિપાક-વિવેચનસહિત કાળમાં થતું હોવાથી તેનાથી લિન ગણવામાં આવતું નથી. આ અંતરકરણની ઉત્પત્તિને કાળ છે. જેમ પટની ઉત્પત્તિકાળે પટને વ્યવહાર થાય છે, તેમ અંતરકરણની ઉત્પત્તિકાળે પણ અંતરકરણને વ્યવહાર થાય છે. વળી પટ ઉત્પન્ન થયા પછી અમુક કાળ સુધી રહે છે ત્યારે પણ પટનો વ્યવહાર થાય છે, તેવી રીતે અંતરકરણ ઉત્પન થયા પછી અન્તર્મુહૂર્ત સુધી રહે છે ત્યારે પણ અંતરકરણ કહેવાય છે. અહીં સ્પષ્ટતા ખાતર તેને ક્રિયમાણ અંતરકરણ અને કૃત અંતરકરણ-એવા બે ભેદ પાડીશું. ઉદયના સમયથી આરંભી મિથ્યાત્વની અન્તમુહર્તની સ્થિતિ તે પ્રથમ સ્થિતિ; પછીની અન્તર્મુહર્તાની સ્થિતિ તે કિયમાણ અંતરકરણની સ્થિતિ તે પછી જે બૃહત્તર સ્થિતિ તે દ્વિતીયસ્થિતિ. હવે આ કરણમાં પ્રવેશ કરનાર કિયમાણ અંતરકરણની સ્થિતિમાંથી મિથ્યાત્વમેહનીયના પુદ્ગલે ગ્રહણ કરી પ્રતિસમય મિથ્યાત્વની પ્રથમસ્થિતિમાં અને દ્વિતીય સ્થિતિમાં નાંખે, તેવી રીતે પ્રતિસમય નાંખતાં નાંખતાં સર્વ દલિક ખાલી થાય ત્યારે મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ ઉદયમાં અનેક આવલિકા જેટલી બાકી રહે છે. જ્યારે અનેક આવલિકા સ્થિતિ જોગવાઈ જાય છે ત્યારે અન્તકરણ પૂરું થાય છે. હવે અહીં ઉદયમાં મિથ્યાત્વનું દિલ નહિ હોવાથી તેના ઉદય બંધ પડે છે, તેથી તેને કૃત અંતરકરણ કહેવાય છે. તેના પ્રથમ સમયે જીવ ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. અનિવૃત્તિકરણને છેલ્લે સમય બાકી હોય છે ત્યારથી દ્વિતીય સ્થિતિમાં રહેલ મિથ્યાત્વમેહનો— યના ત્રણ પુંજ થાય છે. ૧ શુદ્ધ પુંજ ૨ અર્ધવિશુદ્ધ પુંજ, અને 3 અશુદ્ધપુંજ.