SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ es : કમવિપાક-વિવેચન સહિત (૪) અપૂર્વ સ્થિતિબંધ-પૂર્વ પૂર્વના સ્થિતિબંધથી પલ્યોપમના સંખ્યાતમે ભાગે હીન હીન સ્થિતિનો બંધ કરે તે અપૂર્વ સ્થિતિબંધ. - આ સ્થિતિઘાતદિ અપૂર્વકરણના પ્રથમ સમયથી પ્રવર્તે છે. સમયે સમયે અનંતગુણ વિશુદ્ધિ વધતી જાય છે. આ કરણમાં એક સાથે પ્રવેશ કરનાર જીવોના અધ્યવસાયમાં ઘણે ભેદ હોય છે. એક મન્દ વિશુદ્ધિવાળે હાય છે, ત્યારે એક ઉત્કૃષ્ટ વિશુદ્ધિમાં વતતે હોય છે. આ કરણમાં વતે જીવ પોતાના અપૂર્વ પરિણામની વિશુદ્ધિથી મિથ્યાત્વ અને પ્રબલ રાગદ્વેષમય ગ્રન્થીને ભેદ કરે છે. - અનિવત્તિકરણ- આ કરણમાં એક સમયે સાથે પ્રવેશ કરનારજીના અધ્યવસાયમાં પરસ્પર ભેદ હોતે નથી. અહીં સ્થિતિવાતાદિ અપૂર્વ કરણની પેઠે જ પ્રવર્તે છે, માત્ર ભેદ એટલે જ કે અપૂર્વકરણમાં એક સાથે પ્રવેશ કરનાર છના અધ્યવસાયમાં ભેદ હોય છે, અનિવૃત્તિકરણમાં ભેદ હોતે નથી. તેને કાલ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. હવે અનિવૃત્તિકરણને સંખ્યાત ભાગ બાકી રહે છે ત્યારે મિથ્યાત્વની સ્થિતિના અંતરકરણને પ્રારંભ થાય છે. અંતરકરણ-મિથ્યાત્વના ઉદયનું અંતર ( આંતરુ કે વ્યવધાન) કરવું, ઉદયના સમયથી માંડી અતમુહૂર્ત પ્રમાણ સ્થિતિ બાકી રાખી પછીના અન્તર્મુહૂર્ત માં વેદવા લાયક - મિથ્યાત્વ દલિકના અભાવરૂપ અંતર કરવું તે અંતરકરણ. તેને કાળ અન્તર્મુહૂર્ત છે. આ કરણ અનિવૃત્તિ કરણના
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy