________________
કમવિપાક-વિવેચનસહિત યથાપ્રવૃત્તકરણ –જે વિશુદ્ધ પરિણામથી આયુ સિવાય સાત કર્મની સ્થિતિ પામના અસંખ્યાતમે ભાગે જૂના એક કેડાછેડી સાગરોપમ સત્તામાં બાકી રહે તે યથાપ્રવૃત્તકરણ. તેને કાળ અત્તમુહૂર્ત પ્રમાણ છે. અભવ્ય જીવ પણ આ કરણ કરી શકે છે, અને બાકીના કારણે માત્ર ભવ્ય જીવ કરે છે.
અપૂર્વ કરણ-અનાદિ મિથ્યાષ્ટિને અપૂર્વ (પૂર્વે નહિ પ્રાપ્ત થયેલ) એવા સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણું અને સ્થિતિબંધનું કરવું તે અપૂર્વકરણ. યથાપ્રવૃત્તકરણ કર્યા પછી સમ્યકત્વ પામવાને ગ્ય જીવ આ કરણમાં પ્રવેશ કરે છે. તેને કાલ અન્તર્મુહૂર્તને છે.
(૧) સ્થિતિઘાત –સત્તામાં રહેલ સ્થિતિના અગ્ર ભાગથી જઘન્ય પલ્યોપમન અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સેંકડો સાગરોપમ પ્રમાણ સ્થિતિને ઘાત કરે તે સ્થિતિવાત. તેને કાલ અન્તર્મુહૂતને છે. અપૂર્વકરણમાં આવા હજારો સ્થિતિઘાત થાય છે.
(ર) રસઘોતઃ–જે સ્થિતિઘાત થાય છે તેવા સત્તામાં રહેલા અશુભપ્રકૃતિના રસને અનન્ત ભાગ બાકી રાખી બાકીને રસોને પ્રત્યેક અતમુહૂતે ઘાત કરે તે રસઘાત.
(૩) ગુણશ્રેણઃ—જેને સ્થિતિઘાત થાય છે તે સ્થિતિખંડમાંથી કર્મ દલિકને ગ્રહણ કરી ઉદયસમયથી આરંભી અન્તર્મુહૂર્ત કાળમાં અસંખ્ય અસંખ્ય ગુણ પ્રક્ષેપ કરે તે ગુણશ્રેણી. • ૧ અભવ્યમુક્તિ ગમનને અયોગ્ય જીવ. ૨. ભવ્ય મુક્તિ ગમનને યોગ્ય જીવ.