SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ કમ વિપાક–વિવેચનસંહત ૬૭ યના ઉદય હાય છે. પરંતુ દેવાને ચ્યવન કાલે કે સ્રીવિયાગાદિ કાળે અસાતાવેદનીયના ઉદય હાય છે; અને મનુષ્યને વધ, બન્ધન, શાક, રાગાદિ કષ્ટ વડે અસાત વેદનીયને ઉદય હાય છે. નારક અને તિય ઇંચને પ્રાયઃ અસાતાવેદનીયના ઉદય હોય છે. પણ નારકીને ક્વિચત્ તીર્થંકરના જન્મકલ્યાણકાદિકાળે સાતા વેદનીયના ઉદય ડાય છે, અને તિય 'ચમાં ચક્રવર્તી આદિના પટ્ટહસ્તિપ્રમુખને સાતાવેદનીયના હૃદય હાય છે. તેમાં પણ દેવાને અધિક સાતાવેદનીયના ઉત્ક્રય હૈાય છે. તેનાથી મનુષ્યને એ સાતાના ઉદય હાય છે. નારકીને તીવ્ર અસાતાના ઉય છે, અને તેનાથી તિય ચાને એ અસાતાના ઉદય હાય છે. હવે મેહનીયકમનું વણ ન કરે છે- જેમ મદિરાપાનથી ઉન્મત્ત થયેલ પ્રાણી સારાસારના વિવેકથી ભ્રષ્ટ થાય છે; તેમ મેહનીય કર્માંથી મૂઢ થયેલ પ્રાણી પારમાર્થિક હિતાહિતના વિવેકથી રહિત થાય છે; માટે માહનીય ક ક્રિ રા સરખું કહ્યું છે. તેના બે ભેદ છે- દશનમાહનીય અને ચારિત્ર મોહનીય, દન-જીવાદિ સત્યતત્ત્વનું શ્રદ્ધાન કરવુ તે સમ્યગ્દર્શન, તેને આવરે તે દઈનમેાહનીય, હિંસાદિ સાવદ્ય વ્યાપારના સવ થા ત્યાગ કરવા, અને અહિ‘સાદિ ત્રતાનું આચરણ કરવુ તે ચારિત્ર, તેને આવરે તે ચારિત્રમેહનીય, દર્શનમેાહનીય કમ સમ્યગ્દર્શનનુ પ્રતિબન્ધક છે, અને ચારિત્રમાહનીય ચારિત્રનુ પ્રતિબન્ધક છે. [ યથાપ્રવૃત્તકરણ, અપૂર્વ રણ, અનિવૃત્તિકરણ, અંતરકરણુ, શુદ્ધપુ જ, અધ વિશુદ્ધપુંજ, અશુદ્ધપુ જ. ]
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy