________________
કર્મવિપાક-વિવેચન સહિત અહીં દર્શનાવરણચતુષ્ક મૂલથી દર્શનલબ્ધિને ઘાત કરે છે, અને નિદ્રાપંચક તે દર્શનાવરણચતુષ્ટયના ક્ષપશમથી પ્રાપ્ત દર્શનલબિધને ઘાત કરે છે. એ રીતે નવ પ્રકારનું દર્શનાવરણ કહ્યું. - હવે બે પ્રકારે વેદનીય કર્મ કહે છે– મધથી ખરડાચેલ તલવારની ધારને ચાટવા સરખો વેદનીય કમને વિપાક છે. જેમ મધુલિપ્ત તલવારની ધાર ચાટતાં પ્રથમ મધને મિષ્ટ સ્વાદ લાગે અને પછી તલવારની ધારથી જીભ છેરાય, તેમ વિષપભેગ કાલે જીવ સુખને અનુભવ કરે, અને પછી તે વિષયના અભાવથી કે વિયેગ આદિથી દુઃખને અનુભવે. એ રીતે બન્ને પ્રકારે વેદનીય કર્મ જાણવું.
[ ગતિને આશ્રયી સાતા અને અસાતા વેદનીયને વિપાક મેહનીય કર્મના બે ભેદ.]
ओसन्न सुरमणुए, सायमसायं तु तिरियनरएसु । मज्जव मोहणीयं, दुविहं दसणचरणमोहा ॥१३॥ ओसन्नं सुरमनुजे सातमसातं तु तिर्यङ्नरकेषु । मद्यमिव मोहनीयं द्विविधं दर्शनचरणमोहात् ।।
અર્થ – પ્રાયઃ દેવ અને મનુષ્યને વિષે સાતાવેદનીયને ઉદય હોય છે. તિર્યંચ અને નરકને વિષે વિશેષતઃ અસાતવેદનીયને ઉદય હોય છે. મદિરાના સરખું મહનીય કર્મ છે. તેના દર્શન મેહનીય અને ચારિત્રમોહનીયએ બે ભેદે છે.
વિવેચન – અહીં “સોન’ શબ્દ બાહુલ્ય અર્થને વાચક છે. દે તથા મનુષ્યોને ઘણું કરીને સાતા વેદની.