SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ કમવિપાક-વિવેચનસહિત અર્થ–જે નિદ્રાની અવસ્થામાં પ્રાણી સુખથી જાગૃત થાય તે નિદ્રા. જે અવસ્થામાં દુઃખપૂર્વક જાગૃત થાય તે નિદ્રાનિકા. ઉભા રહેલ અને બેઠેલાને નિદ્રા આવે તે પ્રચલા. ચાલ જે નિદ્રા આવે તે પ્રચલા પ્રચલા. વિવેચન-દર્શનાવરણ કર્મની ચાર પ્રકૃતિનું વર્ણન કર્યું. હવે બાકીની નિદ્રાદિ દર્શનાવરણની પાંચ પ્રકૃતિએનું વર્ણન કરે છે- નિદ્રા સામાન્ય અવધને આવરે છે માટે તે દશનાવરણની પ્રકૃતિ છે, તેના પાંચ ભેદ છે, અને તે તીવ્ર તીવ્રતર દર્શનાવરણના ઉદયથી થાય છે. નિદ્રા-જે નિદ્રાની અવસ્થામાં પ્રાણ સહેલાઈથી જાગૃત થાય. બોલાવવાથી તરત ઉત્તર આપે તે નિદ્રા. તેના વિપાક વડે દવા લાયક કમપ્રકૃતિ પણ કારણ વિષે કાર્યનો ઉપચાર કરી નિદ્રા કહેવાય છે. નિદ્રાનિદ્રા-પૂર્વોક્ત નિદ્રાથી અધિક વિપાક આપનાર તે નિદ્રાનિદ્રા. જે નિદ્રાની અવસ્થામાં સુતેલ પ્રાણ દુઃખથી જાગૃત થાય છે, કેમકે તેમાં તીવ્ર આવરણના ઉદયથી ચૈતન્ય અતિ અસ્પષ્ટ થાય છે, તેના કારણભૂત કર્મપ્રકૃતિ તે નિદ્રાનિદ્રા. પ્રચલા ઉભા રહેલાને કે બેઠેલાને જે નિદ્રા પ્રાપ્ત થાય છે તે પ્રચલા, તેના કારણભૂત કર્મ પ્રકૃતિ પણ પ્રચલા કહેવાય છે. પ્રચલા પ્રચલા-ચાલતાં ઉંઘ આવે તે પ્રચલા પ્રચલા. જેથી ઘેડા, બળદ પ્રમુખ પ્રાણુંઓ ચાલતાં ઉઘે છે, તેના કારણભૂત કર્મપ્રકૃતિને પ્રચલાપ્રચલા કહેવાય છે. હવે શિશુદ્ધિ નિદ્રા તથા વેદનીય કર્મનું વર્ણન કરે છે -
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy