________________
કવિપાક-વિવેચન સહિત
૧૭ અજુમતિથી વિપુલ મિતિને ભેદ-વિશુદ્ધિ અને અપ્ર. તિપાત–પડવાના અભાવથી જુમતિથી વિપુલમતિને ભેદ છે. ઝજુમતિથી વિપુલમતિ વિશુદ્ધ છે. જુમતિ આવીને પુનઃ જાય છે, અને વિપુલમતિ કેવલજ્ઞાન થતાં સુધી જતું નથી.
કેવલજ્ઞાન એક પ્રકારનું છે. તેને વિય સર્વ દ્રવ્ય અને સવ પર્યાયે હોવાથી તે પરિપૂર્ણ છે. બીજા કોઈ પણ જ્ઞાન તેના તુલ્ય નહિ હોવાથી તે અસાધારણ છે. સર્વ જ્ઞાનાવરણ કર્મમલના ક્ષય થવાથી ઉત્પન્ન થતું હોવાથી વિશુદ્ધ છે.
એક જીવને વિષે જ્ઞાનેને સહભાવા- એક જીવને વિષે એક કાલે પ્રથમ મતિજ્ઞાનથી આરંભી ચાર જ્ઞાન સુધી હોય છે. કોઈ જીવને એક સમયે એક મતિજ્ઞાન હોય છે, કેમકે તેને આચારાંગાદિ શ્રતગ્રસ્થાનુસારી વિશિષ્ટશ્રુતજ્ઞાન ન હોય, તે અપેક્ષાએ એક મતિજ્ઞાન કહ્યું છે. પરંતુ સામાન્ય શ્રુતજ્ઞાન તો સર્વ જીવને હોય છે, તે અપેક્ષાએ તે મતિજ્ઞાન જેને હોય તેને અવશ્ય શ્રુતજ્ઞાન હોય છે, તે રીતે એકલા મતિજ્ઞાનને સંભવ નથી, તેમ એકલા શ્રુતજ્ઞાનને પણ સંભવ નથી, કેમકે શ્રુતજ્ઞાન મતિપૂર્વક જ હોય છે. માત્ર પાંચ જ્ઞાનમાં એકાકી કેવલજ્ઞાનને જ સંભવ છે. કોઈ જીવને એકકાલે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે જ્ઞાન હોય છે. કોઈ જીવને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિ જ્ઞાન કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને મન પર્યાવજ્ઞાન એ ત્રણ જ્ઞાન સાથે સંભવે છે. કેઈ જીવને મતિજ્ઞાન,
જ વિશુદ્ધતિ રાખ્યાં રોષ (તત્તરાર્થ૦ અ ૧. મૂ. ૨૮.)