________________
પ૬ કર્મવિપાક-વિવેચનસહિત ઊર્વ તિક પર્યા, તિર્યમ્ લેકમાં અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞિપંચે દ્રિયના મને ગત ભાવને જાણે અને રે;
અને વિપુલમતિ અઢી આંગળ અધિક તેટલા જ ક્ષેત્રમાં રહેલ સંપિંચેન્દ્રિયના મને ગત ભાવને જાણે અને દેખે. કાલથી ત્રાજુમતિ પામને અસ ખાતમે ભાગ અતીત અનાગત કાળના મને દ્રવ્યને જાણે અને દેખે વિપુલમતિ તેને વધારે વિશુદ્ધ જાણે. ભાવથી ઋજુમતિ મનના અનન્ત પર્યાયને જાણે અને દેખે. વિપુલમતિ તેને જ અતિવિશુદ્ધ જાણે દેખે. અહીં મન:પર્યવજ્ઞાની સંક્ષિપંચેન્દ્રિય જીવે ગ્રહણ કરીને મનરૂપે પરિણાવેલા મને દ્રવ્યને સાક્ષાત્ જાણે, પરન્તુ ચિનનીય મૂર્ત કે અમૂર્ત પદાર્થને અનુમાનથી જાણે. જેમ લીપિ જેવાથી તેમાં કહેલ અર્થનું જ્ઞાન થાય છે, તેમ મનના પર્યાયના સાક્ષાત્કારથી ચિંતનીય અર્થનું અનુમાનથી જ્ઞાન થાય છે.
અવધિ અને મન પર્યવને પરસ્પર ભેદ-વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી, અને વિષયથી અવધિજ્ઞાનથી મન:પર્યવજ્ઞાન ભિન્ન છે. અવધિજ્ઞાની જે રૂપિ દ્રવ્યને જાણે છે, તેથી મનઃપર્યાવજ્ઞાની માત્ર મને દ્રવ્યને વિશુદ્ધતર જાણે છે. ક્ષેત્રથી અવધિજ્ઞાનને ઉત્કૃષ્ટ વિષય સંપૂર્ણ લેક, અને મન:પર્યવને વિષય અહી દ્વીપ. અવધિજ્ઞાનના સ્વામી ચારે ગતિના છે, અને મન:પર્યવજ્ઞાનના સ્વામી સંયમી. અવધિજ્ઞાનને વિષય સર્વરૂપી દ્રવ્ય, અને મન:પર્યવજ્ઞાનને વિષય માત્ર મનના પર્યાય. ૧. વિશુદ્ધિ-ક્ષેત્ર-સ્વામિ-વિષcવધિ-માયથોઃ | (તસ્વાર્થ-અ૦ ૧ સૂ ૨૬
* * *