________________
૫૪
કમરવિપાક-વિવેચનસહિત - અવધિજ્ઞાનને દ્રવ્યાદિ વિષય- અવધિજ્ઞાન દ્રવ્ય. ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ ચાર પ્રકારે છે. દ્રવ્યથી અવધિજ્ઞાની જઘન્યથી અનન્ત રૂપિદ્રવ્યને જાણે અને દેખે, એટલે જ્ઞાનથી વિશેષરૂપે જાણે, અને દર્શનથી સામાન્યરૂપે દેખે. 'ઉત્કૃષ્ટથી સર્વ રૂપી દ્રવ્યોને જાણે મને દેખે. ક્ષેત્રની અપેક્ષાએ જઘન્યથી અવધિજ્ઞાની અંગુલના અસંખ્યાતમાં ભાગને જાણે અને દેખે, અને ઉત્કૃષ્ટથી અલેક વિષે લેકપ્રમાણ અસંખ્યાત ખંડને જાણે અને દેખે. (એટલે તેટલા ક્ષેત્રમાં રહેલ રૂપિદ્રવ્યને જાણે અને દેખે.) કાલથી અવધિજ્ઞાની જઘન્યથી આવલિકાના અસંખ્યાતમાં ભાગને, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણ અતીત અનાગત કાલને જાણે અને દેખે. ભાવથી અવધિજ્ઞાની જઘન્યથી અનન્ત, અને ઉત્કૃષ્ટથી પણ અનન્ત ભાવને જાણે અને દેખે. કેવળ જઘન્યથી ઉત્કૃષ્ટપદ અનન્તગુણ જાણવું. આ અનન્ત ભાવ સર્વભાવેને અનન્તમે ભાગે જાણવા. ઉત્કૃષ્ટથી દરેક દ્રવ્ય દીઠ અસંખ્યાત ભાવને જાણે, પરંતુ અનન્તભાવને ન જાણે. જેમકે દ્રવ્યને જાણો તેના સ્કન્ય અને અણુરૂપ સખ્યાત કે અસંખ્યાત પર્યાયને જાણે. અહીં અવધિજ્ઞાનના કાળ અને ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત ભેદ જાણવા, અને દ્રવ્ય-પર્યાયની અપેક્ષાએ અનન્ત ભેદ જાણવા, કેમકે રેયના ભેદથી જ્ઞાનને પણ ભેદ થાય છે. એ પ્રમાણે અવધિજ્ઞાનનું નિરૂપણ કર્યું. - મન:પર્યવજ્ઞાનના જુમતિ અને અને વિપુલમતિ-એ બે ભેદ છે.