________________
કમરવિપાક-વિવેચનસહિત
પ૩ હીયમાન-ઉત્તરોત્તર અપ્રશસ્ત પરિણામને લીધે પૂર્વવસ્થાથી અનુક્રમે હાસ પામે તે હીયમાન, “તિર્ય અસંખ્યાતદ્વીપ સમુદ્ર સુધી, ઊર્થ જોતિષના વિમાન પર્યન્ત, અધો રત્નપ્રભાદિ પૃથ્વી સુધી ઉત્પન થયેલ અવધિ જ્ઞાન અનુક્રમે ઘટતાં ઘટતાં અંગુલના અસંખ્યાતમા ભાગ સુધી ઘટે છે, પછી એ સ્થિતિમાં રહે છે અથવા પડે છે."
પ્રતિપાતી -જઘન્યથી અંગુલને અસંખ્યાતમે ભાગ, અને ઉત્કૃષ્ટથી સમગ્ર લેકને જાણ જે નાશ પામે તે પ્રતિપાતી. હયમાન અવધિ જ્ઞાન અનુક્રમે ઘટે છે, અને પ્રતિપાતી એકકાળે નાશ પામે છે, માટે તે બન્નેને ભેદ સ્પષ્ટ છે.
અપ્રતિપાતી – અવધિજ્ઞાન સંપૂર્ણ લેકને જાણ અલકના એક પણું આકાશ પ્રદેશને જાણે તે અપ્રતિપાતી. જે કે અલકમાં અવધિજ્ઞાનને કાંઈ પણ જાણવાનું નથી, તે પણ અહીં તેનું સામર્થ્ય બતાવ્યું છે. આ અવધિજ્ઞાન કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી નાશ પામતું નથી માટે અપ્રતિપાતી કહેવાય છે.
અવધિજ્ઞાનના પ્રતિપાતી અને અપ્રતિપાતી–એ બન્ને ભેદના સ્થાને “બનવસ્થિત અને અવસ્થિત” એવા બે ભેદ તત્વાર્થ ભાષ્યમાં કહેલા છે. “કદાચિત્ હાનિ પામે અને વધે, કદાચિત્ વધે અને હાસ પામે, કઈ વખત પડે અને પુનઃ ઉત્પન્ન થાય તે અનવસ્થિત. જેટલા ક્ષેત્રમાં ઉત્પન્ન થયું હોય તેથી પડે નહિ, પણ કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી, મરણ સુધી કે જન્માક્તરમાં પણ રહે તે અવસ્થિત.”
૧. જુઓ તત્વાર્થભાષ્ય. અ૦ ૧ સૂ૦ ૨૩.