________________
પર
કર્મવિપાક-વિવેચનસહિત અવધિજ્ઞાન હોય છે, તેથી મિશ્ર' એ અવધિજ્ઞાનને ત્રીજે ભેદ પાડેલ છે, પરન્તુ તેને આ બે ભેટમાં સમાવેશ કરી લે. યદ્યપિ આગામી અને અનાનુગામી–એ બે ભેદમાં વર્તમાન આદિ સર્વ ભેરેનો સમાવેશ થતો હોવાથી માત્ર અવધિજ્ઞાનના બે ભેદ કહેવા જોઈએ, તે પણ અવધિજ્ઞાનની વિશેષતા જણાવવા વર્ધમાનાદિ ભેરે પૃથફ ગણવામાં આવ્યા છે. તેમાં દેવ તથા નારકને માત્ર આનુગામીઅવધિજ્ઞાન હોય છે, મનુષ્યને અવધિજ્ઞાનના સર્વ ભેદો અને તિયચને અપ્રતિપાતી સિવાય બાકીને ભેદે હોય છે.
વર્ધમાન-ઉત્તરોત્તર પ્રશસ્ત પ્રશસ્તતર અધ્યવસાયથી ક્રમશઃ વૃદ્ધિ પામતું અવધિજ્ઞાન તે વદ્ધમાન. આ અવધિ જ્ઞાન વિષય પ્રથમ ઉત્પત્તિકાળે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે, અને પછીથી પ્રતિસમય વૃદ્ધિ પામતાં, છેવટે અલેક વિષે લેકપ્રમાણ અસંખ્યાત ખંડક જેટલું હોય છે. યદ્યપિ અવધિજ્ઞાન વિષય માત્ર રૂપિદ્રવ્ય છે, અને અલકમાં રૂપિદ્રવ્યને અસંભવ છે, તેથી તે અલકને વિષે કંઈ પણ જાણી શકતું નથી, પણ શક્તિની અપેક્ષાએ કથન છે. જે અલેકમાં રૂપિદ્રવ્ય હેય તે જાણી શકે તેટલી તેની લાપશમિક શક્તિ છે, એને પરમાવધિ કહે છે. જ્યારે અવધિજ્ઞાનનું અલેકમાંના વિષયને જાણવાનું સામર્થ્ય પ્રકટ થાય છે, ત્યારે તે લેકમાં રહેલા સૂક્રમ સૂક્ષ્મતર અને જાણે છે, તેથી તે શક્તિ નિષ્ફળ નથી.
૧ જુઓ તત્વાર્થ ભાષ્ય. અ. ૧. સૂ૦ ૨૩. ૨. જુઓ જ્ઞાનબિન્દુ.