SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મપ્રબોધ અર્થ- પ્રતિમાને ધા૨ણ ક૨ના૨ને તપથી-સૂત્રથી-સત્ત્વથી-એકત્ત્વથી અને બળથી એમ પાંચ પ્રકારની તુલના કહેલી છે. ૨૫૦ આ પ્રમાણે ગાથામાં કહેલી પાંચ પ્રકારની તુલનાથી પરિકર્મ કરવાપૂર્વક પૂર્વે જ ભાવિતાત્મા થાય છે. પરિકર્મનું પરિમાણ આ પ્રમાણે છે- એક મહિનાથી માંડીને સાત મહિના સુધીમાં જે પ્રતિમા જેટલા પરિમાણવાળી હોય તે પ્રતિમાનો પરિકર્મ પણ તેટલા પ્રમાણવાળો છે. તથા આ પ્રતિમા વર્ષાકાળમાં સ્વીકારાતી નથી અને પરિકર્મ કરાતું નથી. તથા શરૂઆતની બે પ્રતિમા એક જ વર્ષમાં થાય છે. ત્રીજી અને ચોથી પ્રતિમા એક-એક વર્ષમાં થાય છે. બાકીની ત્રણ પ્રતિમામાં એક વર્ષે પરિકર્મ કરવામાં આવે છે, અને બીજા વર્ષે પ્રતિમાનો સ્વીકાર કરવામાં આવે છે. આ પ્રમાણે નવ વર્ષમાં પહેલી સાત પ્રતિમાઓ પૂર્ણ થાય છે. ત્યાર પછી આઠમી વગેરે ત્રણે ય પ્રતિમાઓ એકવીશ દિવસે પૂર્ણ થાય છે. અગિયારમી પ્રતિમા અહોરાત્રિના અંતે છઠ્ઠ કરવામાં આવતો હોવાથી ત્રણ દિવસે પૂર્ણ થાય છે. બારમી પ્રતિમા રાત્રિ પછી તરત અક્રમ કરવામાં આવતો હોવાથી ચાર રાત્રિ-દિવસ પ્રમાણ થાય છે. અહીં બીજું પણ ઘણું કહેવાનું છે. પરંતુ તે પ્રવચન સારોદ્ધાર વગેરેમાંથી જાણી લેવું. આ પ્રમાણે સંક્ષેપથી સાધુની બાર પ્રતિમાનું સ્વરૂપ જાણવું. (૩૨) સાધુનું અહોરાત્રિનું કાર્ય હવે સંક્ષેપથી અહોરાત્રિનું કાર્ય બતાવવામાં આવે છે– शुद्धाचारः साधुः, श्रीजिनवचनानुसारतो नित्यं । कुर्यात्क्रमेण सम्यक, स्वस्याहोरात्रकृत्यानि ॥ ३३ ॥ શુદ્ધ આચારવાળો સાધુ શ્રી જિનવચનને અનુસારે નિત્ય ક્રમે કરી સારી રીતે પોતાના અહોરાત્રિનાં કાર્યોને કરે. કાર્યોનો ક્રમ આ પ્રમાણે છે- સાધુ રાત્રિના છેલ્લા પહોરમાં સૂત્રાર્થ પરાવર્તન આદિ સ્વરૂપ સ્વાધ્યાય મંદ સ્વરથી કરે કે જેથી અસંયતો,ન જાગે. ત્યાર પછી તે જ પ્રહરનો ચોથો ભાગ બાકી રહે ત્યારે છ પ્રકારના આવશ્યકને કરે. ત્યાર પછી ઉત્કટિક આસને રહેલો શ૨ી૨ના ઉપભોગમાં આવતા મુહપત્તિ વગેરે ઉપકરણોની વિધિપૂર્વક પ્રતિલેખના કરે, અને પ્રતિલેખનાની સમાપ્તિની સાથે જ સૂર્યોદય થયે છતે વસતિનું પ્રમાર્જન કરે. ત્યાર પછી વંદનાપૂર્વક આચાર્ય વગેરેને પૂછીને તેમની આજ્ઞાથી વેયાવચ્ચ અથવા સ્વાધ્યાય કરે. પણ પોતાની બુદ્ધિથી કંઈ પણ ન કરે. કહ્યું છે કે छट्ठट्ठमदसमदुवा-लसेहिं मासद्धमासखमणेहिं । अकरंता गुरुवयणं, अनंतसंसारिआ भणिआ ॥ १ ॥ અર્થ- બે-ત્રણ-ચાર-પાંચ-પંદર ઉપવાસ કે માસક્ષમણ કરતા હોય પણ જો ગુરુના વચનને ન કરતા હોય તો અનંત સંસારી કહ્યા છે. ૧ ત્યાર પછી કંઈક ન્યૂન પોરિસી થાય ત્યારે બેઠેલો તે મુહપત્તિનું પડિલેહેંણ કરીને પછી પાત્રા વગેરે ઉપકરણોનું પડિલેહણ કરે. ત્યાર પછી બીજી પોરિસી આવે એટલે પૂર્વે ગ્રહણ કરેલા શ્રુતના
SR No.005692
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2003
Total Pages326
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy