SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ - સમ્યક્ત્વ ન ઉત્તર- એ પ્રમાણે કહેવું યોગ્ય નથી. જો એવા દેવ કહેવાતા હોય તો રાજા વગેરેને (અથવા પૃથ્વીકાયથી નિષ્પન્ન ચિંતામણિ વગેરેને) અને વૈદ્ય વગેરેને પણ દેવ કહેવાનો પ્રસંગ આવશે. એમ પણ ન કહેવું કે- રાજા વગેરે સામા પુરુષના કર્મને અનુસારે જ આપનારા છે તેથી અધિક આપનારા નથી. કેમ કે- તેમની પણ તેવી જ પ્રવૃત્તિ દેખાય છે. વળી રાજાની સેવા કરનારા બધાય રાજા હોય છે અને વૈદ્યોની સેવા કરનારા બધાય નિરોગી હોય છે એવું પણ નથી. કેમ કે- અનુભવથી વિરુદ્ધ છે. કહ્યું છે કે यद्यावद्यादृशं येन, कृतं कर्म शुभाशुभं । તત્તાવત્તાદશં તમ્ય, તમીશઃ પ્રયઘ્ધતિ | શ્ અર્થ- જે જીવે જે શુભાશુભકર્મ જેટલું, જેવું કર્યું હોય તેને તે કર્મનું તેટલું, તેવું ફળ ઈશ્વર આપે છે. માટે વિસ્તારથી સર્યું. વળી- જેઓ પૃથ્વી આદિ ષટ્કાયની વિરાધનાથી નિવૃત્ત થયેલા છે, સમ્યગ્ જ્ઞાની છે, તેઓ જ ગુરુ છે, પણ સર્વ આરંભમાં પ્રવૃત્ત થયેલા હોવાના કારણે જેમને હંમેશા ષટ્કાયના ઉપમર્દનનો સંભવ છે, એવા બ્રાહ્મણ વગેરે ગુરુ નથી. પ્રશ્ન- ભલે તેઓ ષટ્કાયના ઉપમર્દક રહ્યા, પરંતુ બ્રાહ્મણ જાતિના તો છે ને ? ૯ ઉત્તર- બ્રાહ્મણ જાતિના હોવા છતાં પણ તેમનું આચરણ નિંદ્ય છે. જ્યારે બ્રાહ્મણ જાતિના નહીં હોવા છતાં પારાશર- વિશ્વામિત્ર વગેરેને પૂજનીય કહ્યા છે. કહ્યું છે કે श्वपाकीगर्भसंभूतः, पाराशरमहामुनिः । तपसा ब्राह्मणो जात-स्तस्माज्जातिरकारणं ॥ १ ॥ અર્થ- ચાંડાલીના ગર્ભથી ઉત્પન્ન થયેલા પારાશર મહામુનિ તપથી બ્રાહ્મણ થયા. તેથી બ્રાહ્મણ થવામાં જાતિ કારણ નથી. ૫૧૫ कैवर्त्तीगर्भसंभूतो, व्यासो नाम महामुनिः । 'तपसा ब्राह्मणो जात - स्तस्माज्जातिरकारणं ॥ २॥ અર્થ- ધીવરની સ્રીના ગર્ભથી ઉત્પન્ન થયેલા વ્યાસ નામના મહામુનિ તપથી બ્રાહ્મણ થયા. તેથી બ્રાહ્મણ થવામાં જાતિ કારણ નથી. રા शशकीगर्भसंभूतः, शुको नाम महामुनिः । तपसा ब्राह्मणो जात - स्तस्माज्जातिरकारणं ॥ ३ ॥ અર્થ- શશકીના ગર્ભથી ઉત્પન્ન થયેલા 'શુક નામના મહામુનિ તપથી બ્રાહ્મણ થયા તેથી બ્રાહ્મણ થવામાં જાતિ કારણ નથી. ૫ા न तेषां ब्राह्मणीमाता, संस्कारश्च न विद्यते । तपसा ब्राह्मणा जाता - स्तस्माज्जातिरकारणं ॥ ४ ॥ ૧. વ્યાસનો પુત્ર- ધૃતાચી નામની અપ્સરા શુકી પોપટીનું રૂપ ધારણ કરેલી એક વખત વ્યાસની દૃષ્ટિએ પડી તેને જોઈને વ્યાસનું વીર્ય પડ્યું તેમાંથી થયેલા પુત્રનું નામ શુક પડ્યું.
SR No.005692
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2003
Total Pages326
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy