SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ આત્મપ્રબોધ હવે સામાયિકમાં રહેલાનું જે કાર્ય છે તે બતાવે છે– सामायिकस्थः प्रवरागमार्थं, पृच्छेन्महात्माचरितं स्मरेच्च । आलस्यनिद्राविकथादिदोषान्, विवर्जयेत् शुद्धमना दयालुः ॥ ५९॥ શુદ્ધમનવાળો અને દયાળુ એવો સામાયિકમાં રહેલો શ્રાવક શ્રેષ્ઠ આગમના અર્થને પૂછે, અને મહાત્માઓના ચરિત્રને યાદ કરે, આળસ, નિદ્રા, વિકથા આદિ દોષોનો ત્યાગ કરે. આળસ વગેરે દોષો આ છે સામાયિકના ૩૨ દોષો મનના દશ દોષો (૧) અવિવેક દોષ- સામાયિકના સમય દરમિયાન આત્મ-હિત સિવાય અન્ય વિચારો કરવા તે અવિવેક દોષ છે. (૨) યશઃકીર્તિ દોષ- લોકો વાહવાહ બોલે એવી ઇચ્છાથી સામાયિક કરવું તે યશઃકીર્તિ દોષ છે. (૩) લાભ-વાંછા દોષ- સામાયિક દ્વારા કોઈ પણ જાતના લાભની ઇચ્છા રાખવી તે લાભવાંછા દોષ છે. (૪) ગર્વ દોષ- અન્ય લોકો કરતાં હું સારું સામાયિક કરું છું અને તેથી હું બધા કરતાં ચડિયાતો છું, એવો વિચાર કરવો તે ગર્વ દોષ છે. (૫)ભય દોષ- હું સામાયિક નહિ કરું તો અન્ય લોકો શું કહેશે ? એવા ભયથી સામાયિક ક૨વું તે ભય દોષ છે. (૬) નિદાન દોષ- સામાયિક કરીને તેના ફલ તરીકે સાંસારિક સુખની ઇચ્છા કરવી તે નિદાન દોષ છે. (૭) સંશય દોષ- સામાયિકનું ફલ મળશે કે કેમ ? એવો વિચાર કરવો તે સંશય દોષ છે. (૮) રોષ દોષ- કોઈ પણ કારણથી ઉત્પન્ન થયેલા રોષમાં ને રોષમાં સામાયિક કરવા બેસી જવું તે રોષ દોષ છે. (૯) અવિનય દોષ- જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તેના ધારક સાધુ પ્રત્યે શ્રદ્ધા અને વિનય વગર સામાયિક કરવું તે અવિનય દોષ છે. (૧૦) અબહુમાન દોષ- ભક્તિભાવ, બહુમાન અને ઉમંગ સિવાય સામાયિક કરવું તે અબહુમાન દોષ છે. વચનના દશ દોષો (૧૧) કુવચન દોષ- કડવું, અપ્રિય કે અસત્ય વચન બોલવું, તે કુવચન દોષ છે. (૧૨) સહસાકાર દોષ- વગર વિચારે એકાએક વચન કહેવું તે સહસાકાર દોષ છે. (૧૩) સ્વચ્છંદ દોષ- શાસ્ત્રની દરકાર રાખ્યા વિના કોઈ પણ વચન બોલવું તે સ્વચ્છંદ દોષ છે.
SR No.005692
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2003
Total Pages326
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy