SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો પ્રકાશ - ૧૦૯ છોડીને હું કેમ એકાકી થાઉં, આ પ્રમાણેના સ્વજનના સ્નેહથી, તથા પૂર્વના પુણ્યયોગથી પ્રાપ્ત થયેલા આ ઇંદ્રિયના વિષયોને કેવી રીતે છોડું ? આ પ્રમાણે વિષયના લોભથી સર્વવિરતિને વરવા માટે ઉત્સાહવાળો થતો નથી. તે જીવ સર્વથી ભ્રષ્ટ ન થાઉં, સર્વનાશ થાય એના કરતાં તો જે કાંઈ લાભ થયો તે પણ કલ્યાણકારી છે, એ પ્રમાણે વિચારીને દેશવિરતિને સ્વીકારે છે. કહેલા સ્વરૂપવાળાં પ્રતિબંધ કરનારાં કારણોનો અભાવ હોય તો સર્વવિરતિને જ સ્વીકારે છે. આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે કે દેશવિરતિ विसयसुहपिवासाए, अहवा बंधवजणाणुराएण । अचयंतो बावीसं, परीसहे दुस्सहे सहिउं ॥ १॥ जइ न करेइ विसुद्धं, सम्मं अइदुक्करं तवच्चरणं । तो कुजा गिहिधम्मं न य बज्झो होइ धम्मस्स ॥ २ ॥ અર્થ- વિષયસુખની પિપાસાના કારણે, અથવા બાંધવજનના અનુરાગના કારણે, અથવા દુ:ખે ક૨ીને સહન કરી શકાય તેવા બાવીસ પરીષહોને સહન ક૨વા અસમર્થ હોવાના કા૨ણે જો વિશુદ્ધ અને અતિ દુષ્કર તપચરણને સારી રીતે ન કરે તો ગૃહસ્થધર્મને કરે. પણ ધર્મની બહાર ન થાય, અર્થાત્ કોઈ પણ રીતે ધર્મમાં રહે. આ દેશવિરતિને સ્વીકારનારો શ્રાવક જઘન્ય આદિ ભેદથી ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણેજઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ.. જે પ્રયોજન વિના સ્થૂલ હિંસાને નથી કરતો, મદ્ય-માંસ આદિ અભક્ષ્ય વસ્તુનો ત્યાગ કરે છે, નમસ્કાર મહામંત્રને ધારણ કરે છે, અને નવકા૨શીનું પચ્ચક્ખાણ કરે છે તે જઘન્ય શ્રાવક જાણવો. જે ધર્મયોગ્ય ગુણોથી યુક્ત છે તથા હંમેશા છ આવશ્યકને આચરે છે, અને બારવ્રતોને ધારણ કરે છે તે સદાચારવાળો ગૃહસ્થ મધ્યમ શ્રાવક જાણવો. * સચિત્ત આહારનો ત્યાગ કરે છે અને એકાસણું કરે છે અને બ્રહ્મચર્યનું પાલન કરે છે તે ઉત્કૃષ્ટ શ્રાવક જાણવો. કહ્યું છે કે आउट्टिथूलहिंसाइ, मज्जमंसाइ चाइओ । जहन्नो सावओ वुत्तो, जो नमुक्कारधारओ ॥ १॥ धम्मजुग्गणाएन्नो, छक्कम्मो बारसावओ । गिहत्थो य सयायारो, सावओ होइ मज्झिमो ॥ २ ॥ उक्कोसेणं तु सड्ढो उ, सच्चित्ताहारवज्जओ । गाणगभोइ य, बंभयारी तहेव य ॥ ३ ॥ ઈરાદાપૂર્વક સ્થૂલહિંસા અને મઘમાંસનો ત્યાગી જઘન્ય શ્રાવક કહેલો છે. જે નમસ્કારને ધારણ કરનારો હોય, ધર્મયોગ્ય ગુણોથી યુક્ત હોય, છ આવશ્યકને કરતો હોય, બાર વ્રતવાળો હોય, આવો સદાચારવાળો ગૃહસ્થ મધ્યમ શ્રાવક છે. સચિત્ત આહારનો ત્યાગી, એક અશનનો ભોગી (એકાસણું કરનારો) તથા બ્રહ્મચારી ઉત્કૃષ્ટ શ્રાવક છે. (૬)
SR No.005692
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2003
Total Pages326
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy