________________
વિહાર કરે કે નમસ્કારમંત્રના વિવરણને અધૂરું મૂકીને જ વિહાર કરી પાટણથી બહાર જતા રહે ?'
આ સાંભળી કુમારપાળ સહસા ક્રોધિત થયા. પણ એ ક્ષણે જ દ્વિધામાં પડ્યા. એક તરફ રાજાજ્ઞાના પાલનનો પ્રશ્ન અને બીજી તરફ નમસ્કાર મહામંત્રના અનુષ્ઠાનપરક વિવેચનમાં ભંગનું ધર્મસંકટ. પોતાની આ દ્વિધાના સમાધાન માટે કુમારપાળ પોતાના આરાધ્ય ગુરુદેવ હેમચંદ્રાચાર્યની સેવામાં ઉપસ્થિત થયા, અને આ બાબતે નિર્દેશ પ્રદાન કરવાની વિનંતી કરી. આચાર્ય હેમચંદ્રસૂરિએ રાજા કુમારપાળને સલાહ આપી કે - “વિવિપક્ષના આચાર્ય જયસિંહસૂરિ મોટામોટા દિગ્ગજ વાદીઓને પરાજિત કરનાર જિનશાસન પ્રભાવક મંત્રતંત્ર આદિ વિદ્યાઓમાં નિષ્ણાત મૂર્ધન્ય વિદ્વાન છે, તેથી એમની નારાજગીને પાત્ર બનવું કોઈના માટે પણ શ્રેયસ્કર નથી.”
આચાર્ય હેમચંદ્રસૂરિની વાત સાંભળી તત્કાળ રાજા કુમારપાળ જયસિંહસૂરિ પાસે ઉપસ્થિત થયા. પોતાની રાજાજ્ઞા સંબંધી વસ્તુસ્થિતિથી જયસિંહસૂરિને માહિતગાર કરી ક્ષમાયાચના કરી. પાંચમના સંવત્સરી પર્વની આરાધના કરનાર બીજા સાધુઓ અન્યત્ર વિહાર કરી ચાલ્યા ગયા, પણ પોતાની સૂઝ-બૂઝ અને પ્રતિભાના બળે જયસિંહસૂરિ પાટણમાં અચલ રહ્યા. આ કારણે એમના વિધિપક્ષનું નામ “અચલગચ્છ' લોકોમાં પ્રચલિત થયું.
(આગમિકગચ્છ) આગમિકગચ્છની ઉત્પત્તિ પણ ક્રિયોદ્ધાર માટે કરવામાં આવેલા એક પ્રયાસ તરીકે થઈ. બારમી શતાબ્દીનો અંત અને તેરમી શતાબ્દીના પ્રારંભકાળે જે વખતે ચંદ્રગચ્છમાં શિથિલાચાર અને અનાગમિક માન્યતાઓનું પ્રાબલ્ય વધી ગયું, એ વખતે વિક્રમની તેરમી શતાબ્દીના દ્વિતીય દશકના પ્રારંભમાં મુનિ શીલગણસૂરિએ ક્રિયોદ્ધાર કરી આગમિક ગચ્છની સ્થાપના કરી. આગમિકગચ્છની સ્થાપના કરવાના કારણે શીલગણસૂરિને આ ગચ્છના પ્રથમ આચાર્ય માનવામાં આવ્યા છે. આગમિકગચ્છના ચંદ્રકુળ અથવા ચંદ્રગચ્છની જ એક શાખા છે. આગમિક ગચ્છમાં ક્રમશઃ નિમ્નલિખિત આચાર્ય થયા :
૧. શીલગુણસૂરિ : ભારતના પૂર્વાચલમાં કનોજ રાજ્યના અધિપતિ મહારાજા ભટ્ટાનિકને કુમાર નામનો એક રાજપુત્ર હતો. લક્ષણ, સાહિત્ય, ૧૯૬ 3969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)|