________________
(અજયદેવની હત્યા) આ મૃત્યુલોકમાં અતિ ઉત્કટ ભાવથી કરવામાં આવેલા મહાન પુણ્ય અને ઘોર પાપનું ફળ એ પ્રાણીને ૩ વર્ષ, ૩ માસ, ૩ પક્ષ અથવા ૩ દિવસની અવધિમાં જ અહીં ધરતી પર જ મળી જાય છે.”
આ નીતિ સૂકત અનુરૂપ અત્યાચારી રાજા અભયદેવ દ્વારા કરવામાં આવેલાં ઘોર દુષ્કૃત્યોનું ફળ ૩ વર્ષની અંદર જ એને મળી ગયું. અજયદેવના એક વૈજલદેવ નામના અંગરક્ષકે તેના પેટમાં છરો ભોંકી એના પ્રાણનો અંત લાવી દીધો. આ રીતે પોતાના ૩ વર્ષના (વિ. સં. ૧૨૩૦-૧૨૩૩) અત્યાચારી શાસનકાળનો અંત આવ્યો અને અજયદેવને તેના પાપનું ફળ મળી ગયું. - ત્યાર બાદ એના અલ્પવયસ્ક પુત્ર મૂળરાજ (દ્વિતીય)ને અણહિલપુરપાટણના રાજસિંહાસન પર બેસાડવામાં આવ્યો. અજયદેવની વિધવા રાણી રાજમાતા નાયકીદેવીએ વિશાળ ગુર્જર રાજ્યની સંરક્ષિકા રૂપે શાસનની બાગડોર પોતાના હાથમાં સંભાળી. નાયકીદેવી ગોવાના કદંબવંશી મહારાજ પરમર્દિનની પુત્રી હતી. એણે ગુર્જર રાજ્યની પ્રજાને સુશાસન આપવાની સાથે સાથે ગુર્જર રાજ્યને એક શક્તિશાળી રાજ્ય બનાવવાનો પ્રયાસ પણ કર્યો.
વિ. સં. ૧૨૨૫ (વિ. નિ. સં. ૧૭૦૫ તથા ઈ.સ. ૧૧૭૮)માં સુલતાન મોહમ્મદ ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું. ગુજરાતની રાજમાતા નાયકીદેવીએ પોતાના પુત્ર મૂળરાજ (દ્વિતીય)ને પોતાની ગોદમાં ઊંચકી ગુર્જર રાજ્યની સેનાનું નેતૃત્વ કરતાં મોહમ્મદ ઘોરીનો સામનો કર્યો અને અદ્ભુત સાહસ અને શૌર્યની સાથે ગુર્જર રાજ્યની સેનાનું કુશળતાપૂર્વક સંચાલન કર્યું. પ્રકૃતિએ પણ મુકત રીતે રાજમાતાની સહાયતા કરી. મુશળધાર વરસાદમાં યુદ્ધથી ન ટેવાટેલી શત્રુસેના રણમેદાનમાંથી પોતાનો જીવ મુઠ્ઠીમાં લઈને નાસી ગઈ. મોહમ્મદ ઘોરી પણ ગુર્જરસેનાના શસ્ત્રાઘાતોથી ઘાયલ થઈ પોતાની બચેલી સેના લઈ નાસી ગયો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪) [939696969696969696969 ૧૫૦ |