________________
કરોડ નવકારમંત્રનો જાપ કર્યો. પાહિની મહાસતીજીએ સમાધિપૂર્વક સ્વર્ગારોહણ કર્યું. જે વખતે એમના પાર્થિવ શરીરને લઈને વૈકુંઠી (પાલખી) સ્મશાનભૂમિ પાસે પહોંચી, એ વખતે અમુક ઈર્ષાળું તાપસોએ વૈકુંઠી તોડવાનો વિફળ પ્રયાસ કર્યો. અંત્યેષ્ટિના સમયે ઉપસ્થિત વિશાળ જનસમુદાય સમક્ષ એ તાપસીનું કાંઈ ચાલ્યું નહિ અને નિર્વિદને મહાસતી પાહિનીના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર થયા.
આ પ્રકારના પ્રસંગે તાપસોના ઈષપૂર્ણ વ્યવહારથી હેમચંદ્રસૂરિના હૃદયને ઠેસ પહોંચી અને એમણે પાટણથી માલવભૂમિ તરફ વિહાર કર્યો. માર્ગમાં તેઓ કુમારપાળના સૈનિક સ્કંધાવારમાં પહોંચ્યા. ગુર્જર રાજ્યના સિંહાસન પર આરૂઢ થયા પછી કુમારપાળ માટે આચાર્યશ્રીના દર્શનનો આ પ્રથમ અવસર હતો. કુમારપાળે આચાર્યશ્રીને વિનંતી કરી : “ભગવાન ! હું આપનો જીવનભર ઋણી રહીશ. આપ સદાય આ દાસ પર કૃપા કરી પ્રભુસ્મરણના સમયે મારી પાસે અવશ્ય આવ્યા કરો.” આચાર્યશ્રીએ કહ્યું : “રાજનું! અમે ત્યાગ-વિરાગપૂર્ણ અધ્યાત્મપથના પથિક છીએ. આ પ્રકારની સ્થિતિમાં રાજાઓ સાથે સંપર્કનું શું પ્રયોજન ?” કુમારપાળે અતિ વિનમ્ર સ્વરમાં નિવેદન કર્યું: “મહારાજ! હું પરલોકને સુધારવા માટે આપ જેવા મહાપુરુષોના સત્સંગનો અભિલાષી છું. આપ કોઈ પણ સમય મારે ત્યાં પધારી શકો છો”. કુમારપાળે તત્કાળ પોતાના અંગરક્ષકો અને પ્રહરીઓને પણ સૂચના આપી કે આચાર્યશ્રી જ્યારે પણ મારા કોઈ પણ કક્ષમાં પધારવાનું કષ્ટ કરે તો એમને આદર-સન્માનપૂર્વક લઈ આવવા.
આ રીતે પ્રાયઃ પ્રતિદિન આચાર્ય હેમચંદ્રસૂરિ સ્કન્ધાવારમાં કુમારપાળના કક્ષમાં ધર્મોપદેશ અને ધર્મચર્યા નિમિત્તે આવતા રહેતા. એક દિવસ કુમારપાળ ભકિતના પ્રવાહમાં શ્રદ્ધાપૂર્વક આચાર્યશ્રીના તપત્યાગ અને જ્ઞાનની મુકતકંઠે પ્રશંસા કરવા લાગ્યા. એ વખતે જિનશાસન પ્રત્યે ઈર્ષા રાખનાર એક પંડિતે કુમારપાળને કહ્યું: “ક્ષમા કરો મહારાજ ! આ શ્વેતાંબર મતાવલંબી સૂર્યને પણ માનતા નથી.” ( ૧૪ર 99999999999જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)