________________
સ્તંભતીર્થ પહોંચીને આચાર્યશ્રી પાર્શ્વનાથ મંદિરમાં રોકાયા, બાળક ચેંગદેવ, મંત્રીશ્વર અને સામંત ઉદયનના ભવન પર સમવયસ્ક બાળકો સાથે અભ્યાસ કરવા લાગ્યો.
દેવચંદ્રસૂરિ સાથે બાળક ચંગદેવની ધંધુકાથી વિદાય બાદ થોડા દિવસ પછી શ્રેષ્ઠી ચાચિગદેવ પોતાની ધંધાકીય સફર પૂરી કરી ધંધુકા પાછા ફર્યા. ઘરમાં આવતાં જ પુત્રને ક્યાંય જોયો નહિ, તેથી ચાચિગે વ્યગ્ર સ્વરમાં પત્નીને પૂછ્યું : “ચંગ ક્યાં છે ?’
પાહિનીએ મધુર સ્વરમાં સમગ્ર વૃત્તાંત સંભળાવ્યું અને કહ્યું કે - “શાસનહિત અને સ્વપ્નના સંકેતને નજર સામે રાખી તેણે એ હોનહાર પુત્રને આચાર્ય દેવેન્દ્રસૂરિના કરકમળમાં સમર્પિત કરી દીધો છે.” પોતાના પ્રાણપ્રિય એકમાત્ર પુત્રને સદાયને માટે આચાર્યશ્રીને સમર્પિત કરવાની વાત સાંભળી શ્રેષ્ઠી ચાચિગ ખૂબ નારાજ થયા. પુત્રવિરહમાં એમને ઘરસંસાર શૂન્ય ભાસવા લાગ્યો.
એમણે નિર્ધાર કર્યો કે - “જ્યાં સુધી હું મારા લાડલાને નજરે નિહાળીશ નહિ ત્યાં સુધી અન્ન ગ્રહણ નહિ કરું.' આમ બોલીને તેમણે સ્તંભતીર્થ (ખંભાત) તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં ક્ષણનો પણ વિશ્રામ કર્યા વગર તેઓ સ્તંભતીર્થ પહોંચ્યા અને સીધા દેવચંદ્રસૂરિની પાસે ઉપાશ્રયમાં ગયા. ક્રોધના અતિરેકથી એમનું મોં લાલચોળ હતું. પરંપરાગત સંસ્કારથી નમનની મુદ્રામાં ઊભા રહ્યા. પ્રથમ નજરે જ દેવચંદ્રસૂરિએ મુખાકૃતિથી ચાચિગને સુધાસિક્ત શાંત વાણીથી એમના ક્રોધનું શમન કરી દીધુ. સ્તંભતીર્થના સામંત મંત્રી ઉદયન પણ એ વખતે આચાર્યશ્રીની સેવામાં ઉપસ્થિત હતા. ચાચિગની સાથે આચાર્યશ્રીના સંવાદના પ્રથમ વાક્યથી જ ઉદયનને ખ્યાલ આવી ગયો કે નવાગંતુક હોનહાર બાળક ચંગદેવના જનક શ્રેષ્ઠી ચાચિગ જ છે.
મંત્રી ઉદયન શ્રેષ્ઠી ચાચિગને ભોજન-આરામ માટે પોતાની ૮ અશ્વવાળી બગીમાં બેસાડીને પોતાના વિશાળ ભવન પર લઈ ગયા. એ વખતે બાળક ચંગદેવ દોડતો-દોડતો આવ્યો અને ઉદયનને પૂછ્યું : મંત્રી પ્રવર ! આપે આટલો વિલંબ ક્યાં કર્યો ?'
૧૧૬ ૭૩ CH
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)