SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ આડંબરપૂર્ણ, સ્વકલ્પિત નિત-નવાં ધાર્મિક આયોજનો, પરિપાટીઓ અને અનુષ્ઠાનોની રચનાઓની સાથે-સાથે ચૈત્યવાસીઓએ સાધુવર્ગની સુવિધા માટે ૧૦ (દશ) નિયમ બનાવ્યા. આ નિયમોથી મુનિજીવનમાં સુવિધા, ભોગ અતિ અધિક વધી ગયા. ચૈત્યવાસી સાધુઓ માટે બનાવવામાં આવેલ તે નિયમોને જૈનસંઘમાં પ્રસારિત કરવામાં આવ્યા ને ચૈત્યવાસી પરંપરાના દરેક સદસ્યના માટે એ ૧૦ નિયમોનું પાલન અનિવાર્ય ઘોષિત કરી દીધું. તે ૧૦ નિયમોનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રકારે છે : ૧. સાધુ ઔદ્દેશિક અર્થાત્ શ્રમણ-શ્રમણીઓ માટે બનાવવામાં આવેલ સદોષ આહાર ગ્રહણ કરી શકે છે, એમાં કોઈ પ્રકારનો દોષ નથી. સાધુએ સદા માટે જિનમંદિરમાં નિયતવાસ કરવો જોઈએ. વસતિ, પરગૃહ અથવા ઉદ્યાનમાં નિવાસ કરવાવાળા અથવા રોકાવાવાળા સાધુઓનો પૂરી રીતે વિરોધ કરીને ચૈત્યવાસી સાધુ ખુલ્લી રીતે આ પ્રકારે પ્રચાર-પ્રસાર કરે કે સાધુએ વસતિમાં નિવાસ કરવો જોઈએ નહિ. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ૨૬ સાધુ પોતાની પાસે ધનનો સંગ્રહ કરે. આમ તો શાસ્ત્રોમાં સાધુ માટે ધન-સંગ્રહ નિષેધ છે, છતાં પણ વર્તમાનમાં સાધુઓ માટે ધન રાખવું આવશ્યક થઈ ગયું છે. ચૈત્યવાસી સાધુ ગૃહસ્થોને ઉપદેશ, ગુરુમંત્ર વગેરે આપીને પોતાની પેઢી, પ્રપેઢી શ્રાવક બનાવે. સાધુ જૈનમંદિરોને પોતાની સંપત્તિના રૂપમાં સ્વીકાર કરે. સાધુ એવા ગાદી-તકિયા અને સિંહાસનો પર પણ બેસી શકે છે, જેનું પ્રતિલેખન પ્રમાર્જન સંભવ નથી. સાધુ પોતાના શ્રાવકોને પોતાના જ ગચ્છમાં રહેવા માટે (સામ, દામ, દંડ, ભેદ વગેરે ઉપાયોથી) આગ્રહ કરે. સાધુ આ પ્રકારની ક્રિયાઓનું સ્વયં આચરણ કરે તથા એવાં વિધિ-વિધાનોનો ઉપદેશ અને પ્રચાર-પ્રસાર કરીને લોકો પાસે તે ક્રિયાઓનું પાલન કરાવે, જે ધીરે-ધીરે મોક્ષમાર્ગની તરફ લઈ જવાવાળી છે. ઉપરના ૯ નિયમોનું પાલન નહિ કરનાર બધા સાધુઓ પ્રતિ, ચૈત્યવાસી સાધુઓએ અનાદર અને દ્વેષદૃષ્ટિ રાખવી જોઈએ. ઊઊઊઊઊન જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
SR No.005687
Book TitleJain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages290
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy