________________
ભાગ લઈને આ રટુવંશી રાજાઓના રાજ્યની સીમાઓનો વિસ્તાર કરી રષ્ટ્ર રાજ્યને એક શક્તિશાળી રાજ્યનું રૂપ આપ્યું. આચાર્ય મુનિચંદ્ર ધર્મનીતિની સાથે-સાથે રણનીતિના પણ વિશારદ હતા. શકિતશાળી રહૃવંશી રાજ્યના નિર્માતા સંસ્થાપક મુનિચંદ્રએ પોતાની ઉચ્ચ કોટિની પ્રશાસનિક યોગ્યતા, ઉદારતા વગેરે ગુણોથી પોતાની જાતને અન્ય બધા મંત્રીઓમાં સર્વાગીણ ને સર્વોત્તમ સિદ્ધ કર્યા. આચાર્ય સુદત્ત(અપર નામ આચાર્ય વર્ધમાનદેવ)એ એમના પર આક્રમણ કરવા માટે ઝપટેલા ચિત્તાની તરફ ઇંગિત કરી પોતાની પાસે બેઠેલા યદુવંશી ક્ષત્રિયકુમાર સલુને આદેશ આપ્યો : “હે સલું! આત્મરક્ષા કરો.” સલે ચિત્તાને પછાડી નાખ્યો. આચાર્ય સુદત્ત, કુમાર સલુના એ અભુત શૌર્યથી પ્રસન્ન થયા. એમણે એ ક્ષત્રિયકુમારનું નામ પોસલું રાખ્યું. એને દરેક પ્રકારની સહાયતા તથા પરામર્શ પ્રદાન કરીને હોયસલું રાજ્યની સ્થાપના કરી અને રાજ્યના અધિપતિ બનાવ્યો. સુદત્તાચાર્યને હોયસલું રાજ્યના પ્રથમ રાજા સલું એમના પુત્ર વિનયાદિત્ય (પ્રથમ) અને વિનયાદિત્યના ઉત્તરાધિકારી નૃપકામ, આ ત્રણે રાજાઓને એમના રાજ્યકાળમાં હોયસલું રાજ્યને શક્તિશાળી રાજ્ય બનાવવામાં
બધી રીતે સહાયતા કરી. ૩. શાંતિદેવ નામના આચાર્યએ હોયસલુ વંશના રાજા વિનયાદિત્ય
(દ્વિતીય)ને વિપુલ લક્ષ્મી (રાજ્ય-લક્ષ્મી) પ્રાપ્ત કરવામાં
સહાયતા કરી. ૪. આચાર્ય સિંહનંદીએ દડિમ્ અને માધવ નામના રાજકુમારોને બધી
વિદ્યાઓની શિક્ષા આપીને તેઓને પોતાના હાથથી રાજમુકુટ (રાજમુગટ) પહેરાવીને એક શક્તિશાળી જૈન રાજ્ય, “ગંગરાજ્યની
સ્થાપના કરી. તેઓને ગંગ રાજ્યના પ્રથમ રાજાના રૂપમાં સિંહાસન પર બેસાડ્યા પછી, આચાર્યએ જે સાત શિક્ષાઓ આપી, તેમાં મધ-માંસવર્જન, સદાચારપાલન સિવાય અંતિમ એ શિક્ષા આપી કે - “યુદ્ધભૂમિમાં કોઈ પણ વાર પીઠ દેખાડવી - ' નહિ.” તેઓએ ગંગ રાજવંશના પ્રથમ રાજાને સાવધાન કરતા એ કહ્યું હતું કે - “તે આ શિક્ષાઓમાંથી કોઈ પણ એક શિક્ષાનું ઉલ્લંઘન ન કરશે તો તેમનો રાજવંશ નષ્ટ થઈ જશે.” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩) 9696969696969696969696ી ૨૧ |