SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ પશ્ચાતુ કોઈ પ્રભાવશાળી પૂર્વધર આચાર્યનો અભાવ થઈ જવો. પ્રભાવશાળી આચાર્યના વિદ્યમાન ન રહેવાને કારણે સ્વાભાવિક રૂપથી શ્રમણ-શ્રમણીસમૂહ વિશુદ્ધ શ્રમણાચારનો પરિત્યાગ કરી શૈથિલ્યની દિશામાં અગ્રેસર થવા લાગ્યા. આ બધાં કારણોથી ધર્મ અને શ્રમણાચારના સ્વરૂપમાં ઉત્તરોત્તર પરિવર્તન થતાં રહ્યાં તથા વિકૃતિઓ પણ પ્રવિષ્ટ થતી રહી. આગમોથી પ્રવાહિત મહાનદી રૂપ મૂળ શ્રમણ પરંપરાનો હ્રાસ થતો ગયો અને અંતતોગત્વા (આખરે), તે એક ક્ષીણ લઘુ નદીના રૂપમાં અવશિષ્ટ રહી ગઈ. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ પશ્ચાત્ પરીષહ ભીરુ શ્રમણ-શ્રમણીઓએ દુસ્સાધ્ય ક્રિયા, અનિયત નિવાસ, ઉગ્ર વિહાર, પરીષહ સહન, મધુકરી (નિર્દોષ આહારગ્રહણ), પૂર્ણ અપરિગ્રહ વગેરે વિશુદ્ધ શ્રમણાચારને તિલાંજલિ આપી દીધી. તે મઠ, ચૈત્ય વગેરેનું નિજી સ્વામિત્વ, એમાં નિયત નિવાસ, સરસ ભોજન, પરિગ્રહ વગેરે સ્વીકાર કરવા લાગ્યા. તે છત્ર, ચામર, રથ, પાલખી, સિંહાસન, દાસ-દાસી, ગાદલા, બહુમૂલ્ય પરિધાન, સુગંધિત લેપ, તેલ, અત્તર, પાન-સોપારી વગેરેના ઉપભોગપરિભોગ કરવા લાગ્યા. એમણે ચલ-અચલ સંપત્તિ અને વિપુલ દ્રવ્યનું દાન ગ્રહણ કરવાનો પણ પ્રારંભ કરી દીધો. એમણે ધર્મના નામ પર મહોત્સવ, વાઘ-વાજિંત્રોના તાલ પર કીર્તન, ભજન, નૃત્ય, સંગીત, તીર્થયાત્રા વગેરે અનેક પ્રકારનાં નિત નવાં આડંબરપૂર્ણ આયોજન કરી, બધા વર્ગના લોકોને પોતાના સંપ્રદાય, સંઘ, ગચ્છ વગેરેની તરફ આકર્ષિત કરવાનો પ્રારંભ કર્યો. શિથિલાચારના ગહન ગર્તની તરફ ઉન્મુખ થયેલા શ્રમણ, વેશમાત્રથી નામધારી મુનિ રહી ગયા. સર્વજ્ઞ તીર્થકર પ્રભુ વડે પ્રણીત, જૈન આગમોમાં પ્રતિપાદિત, શ્રમણ મર્યાદાઓનું એ ચૈત્યવાસીઓ તથા મઠવાસીઓના જીવનમાં કોઈ સ્થાન રહ્યું નહિ. અપિતુ માન-સન્માન તથા લોકેષણાઓથી ઓતપ્રોત માનસવાળા એ આચાર્યોએ રાજનીતિ, શાસન-સંચાલન વગેરેમાં સક્રિય ભાગ લેવાનો પણ પ્રારંભ કરી દીધો. ૧. વેણુગ્રામ(વર્તમાનમાં બેલગાંવ)ને રણ્યવંશી રાજા કાર્તવીર્ય તથા એમના પુત્ર રાજા લક્ષ્મીદેવના રાજગુરુ જૈનાચાર્ય મુનિચંદ્રએ આ રાજાઓના રાજ્યસંચાલન અને સૈનિક અભિયાનોમાં સક્રિય [ ૨૦ 83939696969696969ીન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩)
SR No.005687
Book TitleJain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages290
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy