________________
લોકોમાં સર્વસંમત એક દર્શન માટે એકમત ના થઈ જાય ત્યાં સુધી તમને લોકોને કંઈ પણ ખાવાનું આપવામાં નહિ આવે.'
બધા લોકો ભૂખ્યા મરવા લાગ્યા ને એ વાત પર એકમત થઈ ગયા કે ગમે તેમ કરીને પોતાના પ્રાણોની રક્ષા કરવામાં આવે. જૈનદર્શનના આચાર્ય હોવાના કારણે સૂરાચાર્ય પણ ત્યાં હાજર હતા. બધાં દર્શનોના પ્રમુખોએ સૂરાચાર્યને રાજાની આજ્ઞાની જાણકારી આપી અને રાજાને આ પ્રમાણેનો હઠાગ્રહ છોડી દેવા માટે રાજી કરવાની વિનંતી કરી.
:
એક મંત્રીના માધ્યમથી સૂરાચાર્યે રાજા ભોજને કહેવડાવ્યું “રાજન્ ! બધાં દર્શનોના હજારો લોકોની દયા(અનુકંપા)ને કારણે હું આપને કંઈક વિનંતી કરવા માંગુ છું. જો આપ સાંભળવા ઇચ્છો તો અવસર આપો.’’
રાજાની પરવાનગી મળી જવાથી સૂરાચાર્ય, મંત્રીઓની સાથે રાજ-ભવનમાં પહોંચ્યા. જતાં જ તેમણે રાજાને કહ્યું - “રાજન્ ! હું મારા કોઈ કામ માટે આપની પાસે નથી આવ્યો. આપે બધા દર્શનવાળાઓને અહીં એક રીતે બંદી (કેદી) બનાવી રાખ્યા છે. આ મારા હૃદયમાં ખટકે છે. માટે હું હવે મારી જન્મભૂમિ પાછો ફરી રહ્યો છું. હું આપને ફક્ત એટલું જ પૂછવા માંગુ છું કે - ‘ગુર્જરભૂમિ પાછા ગયા પછી ત્યાંના લોકો ધારાનગરી વિશે અનેક પ્રકારના સવાલો પૂછશે, તો હું તેમને શું બતાવીશ ? (જવાબ આપીશ ?)'''
રાજા ભોજે જવાબ આપ્યો : “આપ અતિથિઓની સામે હું કંઈ પણ નથી કહેતો. હું તો આ દર્શનવાળાઓને પૂછું છું કે તમારી આપસમાં ભિન્નતાનું કારણ શું છે ? ધારાનગરીના સ્વરૂપનો (ઢાંચાનો) જ્યાં સુધી સંબંધ છે, તે સ્વરૂપ હું આપની સમક્ષ રજૂ કરું છું, તેને આપ ધ્યાનથી સાંભળો. જ્યાં ચોર્યાશી ગગનચુંબી વિશાળ પ્રાસાદ (ઇમારત - મહેલ) કતારો (પંક્તિઓ-હાર) છે. દરેક પ્રાસાદ પંક્તિમાં ચોર્યાશી-ચોર્યાશી ચાર રસ્તા (ચતુષ્પથ-ચૌરાહા) છે. એ જ પ્રમાણે ચોર્યાશી હાટ(બજાર)નું નિર્માણ આ ધારાનગરીમાં કરવામાં આવ્યું છે. આ છે ધારાનગરીનું સ્વરૂપ.’
જવાબમાં સૂરાચાર્યે પૂછ્યું : “રાજન્ ! આ ચોર્યાશી બજારોનું એક જ બજાર બનાવી દો. આ ઘણાં બધાં બજારોનું શું કામ છે ? ચોર્યાશી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૩૭
૩૭૭૭૭૭૭ ૨૫૧