________________
એક વૃદ્ધ ગ્રામીણની સલાહથી બોધાઋષિનાં ચરણોદકની બુંદોનો તે છોકરાઓનાં મોં-માથા પર છંટકાવ કરવામાં આવ્યો. તેમ કરતાં જ તે બધાનો રક્તપ્રવાહ રોકાઈ ગયો. બધા ગામવાસીઓએ તે મહર્ષિનાં ચરણોમાં પોતાનું મસ્તક ઝુકાવી તેમની ચરણરજ પોતાના કપાળે લગાવી. તે દિવસથી તે ગામના વાસીઓ બોધાઋષિને ખિમઋષિ અર્થાત્ ક્ષમાઋષિના સન્માનપૂર્ણ સંબોધનથી ઓળખવા લાગ્યા. દૂર-દૂર સુધી તેમની ખ્યાતિ ખિમ ઋષિના નામથી ફેલાઈ ગઈ. 1 ખિમઋષિની સાધનાથી પ્રભાવિત થઈને બ્રાહ્મણોએ તે જ દિવસે વિપુલ ધન-રાશિ એકત્રિત (ભેગી) કરીને તેમની સામે મૂકી દીધી. પરંતુ કંચન-કામિનીના ત્યાગી તે મહામુનિએ, તે ધનની સામે આંખ ઉઠાવીને પણ ન જોયું. આખરે તે ધન-રાશિ સમાજ માટે કલ્યાણકારી કાર્યોમાં ખર્ચ કરવામાં આવી.
ખિમઋષિની તપશ્ચર્યા ઉત્તરોત્તર ઉગ્ર થતી ગઈ. પ્રત્યેક તપશ્ચર્યાના પારણા માટે તેઓ કઠોર અને વિચિત્ર અભિગ્રહ કરતા. તેમણે પારણા માટે, ૮૪ પ્રકારના એવા વિચિત્ર અભિગ્રહ કર્યા, જેમની પૂર્તિ અસંભવને સંભવ અને અસાધ્યને સાધ્ય બનાવવાળી આત્મશક્તિના સિવાય બીજી અન્ય કોઈ શક્તિથી કદાપિ સંભવ નથી. તે ૮૪ અભિગ્રહોમાંથી ઉદાહરણ માટે એકનો અહીં ઉલ્લેખ કરવામાં આવે છે.
એક દિવસ તપસ્યાના પ્રત્યાખ્યાન કરતી વખતે ખિમઋષિએ મનોમન પ્રતિજ્ઞા કરી કે - “ધારાધિપતિ મુંજના નાના ભાઈ સિંઘુલના ખાસ મિત્ર રાવકૃષ્ણ સ્નાન કરેલા, વિખરાયેલા વાળ અને ઉદ્વિગ્ન મનોસ્થિતિમાં, ૨૧ અપૂ૫ (પૂળા) ભિક્ષામાં આપે તો ખિમઋષિ પોતાની તપશ્ચર્યાનું પારણું કરે, અન્યથા જીવનભર નિરાહાર (ભૂખ્યા) જ રહે. ત્રણ મહિના આઠ દિવસ સુધી નિરાહાર રહ્યા પછી આ પ્રકારનો અભિગ્રહ પૂરો થયો અને તપશ્ચર્યાનું પારણું થયું.
રાવકૃષ્ણના રાજભવનમાં ખિમઋષિના પારણાના સમાચાર વિદ્યુતવેગે ધારાનગરીમાં ફેલાઈ ગયા. ધારાનિવાસી તપસ્વીરાજ ખિમઋષિના દર્શન માટે ઊમટી પડ્યા. રાજકુમાર સિંઘુલની સાથે રાવકૃષ્ણ પણ ખિમઋષિના વિશ્રામ સ્થળે ગયા. જ્યારે રાવકૃષ્ણને જાણ થઈ કે હવે તેમના આયુષ્યના ફક્ત ૬ મહિના જ બાકી રહ્યા છે, તો તેમણે પોતાનું | ૨૦૪ 236236969696969696960 ન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૩)