________________
પરંતુ યશોભદ્રસૂરિના મુખ્ય શિષ્ય બલિભદ્રસૂરિના જીવનવૃત્તની ઘટનાઓ પર નજર નાખતા એ સાબિત થાય છે કે, ચિતૌડના મહારાજા અલ્લટ અને બલિભદ્રસૂરિ સમકાલીન હતા. મહારાજા અલ્લટ જે સમયે આહડમાં નિવાસ કરતા હતા, તે સમયે બલિભદ્રસૂરિએ અલ્લટની રાઠૌડી મહારાણીને વિ. સં. ૯૭૩ની આસપાસ અસાધ્ય બીમારી(રોગ)થી મુક્ત કરાવી હતી. અલ્લટનો સત્તાકાળ વિ. સં. ૯૨૨ થી ૧૦૧૦ ઇતિહાસ-સિદ્ધ છે. આ પ્રમાણેની સ્થિતિમાં યશોભદ્રસૂરિનો આચાર્યકાળ વિક્રમની દશમી શતાબ્દીના તૃતીય ચરણ સુધીનો જ સુસંગત લાગે છે.
આચાર્ય યશોભદ્રસૂરિ પછી પણ સાંડરગચ્છમાં શાલિસૂરિ, સુમતિસૂરિ વગેરે સોળ (૧૬) જિનશાસન પ્રભાવક અને યશસ્વી આચાર્ય થયા. આ ગચ્છના નવમા આચાર્ય શાંતિસૂરિ(દ્વિતીય)એ વિ. સં. ૧૨૨૯માં (કુળ ગુરુઓના ઉલ્લેખાનુસાર) કેટલાય ક્ષત્રિય પરિવારોને જેન-ધર્માવલંબી બનાવીને ઓસવાલવંશની સિસોદિયા શાખાની સ્થાપના કરી. ગુગલિયા, ભંડારી, ચતુર, દૂધોડિયા વગેરે ઓસવાલોની બાર જાતિઓ સાંડેરગચ્છની અનુયાયી ઉપાસક જાતિઓ હતી.
યશોભદ્રસૂરિના બે પ્રમુખ શિષ્ય હતા. તેમના નામ બલિભદ્ર અને શાલિભદ્ર હતા. બલિભદ્ર ગુરુ આજ્ઞા વિના જ અનેક વિદ્યાઓ અને મંત્રોની સાધના કરી લીધી અને તેમણે પોતાની ચમત્કારી વિદ્યાઓનું પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું. આથી નારાજ થઈને યશોભદ્રસૂરિએ તેમને પોતાના સંઘમાંથી બહાર કરવા પડ્યા. પોતાના જ્યેષ્ઠ (મોટા) શિષ્ય બલિભદ્રને પોતાનાથી જુદા કર્યા પછી યશોભદ્રસૂરિએ પોતાના બીજા મુખ્ય શિષ્ય શાલિભદ્રને પોતાના ઉત્તરાધિકારી રૂપે આચાર્યપદ પ્રદાન કર્યું. શાલિભદ્રસૂરિ ચૌહાણવંશીય ક્ષત્રિય હતા.
મુનિ બલિભદ્રને આચાર્યપદ ન આપવાથી તેઓ પર્વતમાળાઓ અને ગિરિગુફાઓમાં તપશ્ચરણ કરવા લાગ્યા. ઘોર તપશ્ચર્યાના ફળસ્વરૂપ તેમને અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ.
બલિભદ્ર મહારાજા અલ્લટની મહારાણીને જ્યારે રોગમુક્ત કરી, તે સમયે મહારાજાએ પ્રસન્ન થઈને તેમને કોઈ મોટી જાગીર આપવાનો પ્રસ્તાવ કર્યો. બલિભદ્ર મુનિએ એમ કહેતાં જાગીર લેવાનો અસ્વીકાર જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૩) છ9996369696969696969 ૧૯૦.