________________
આ રચનાના પ્રશસ્તિ શ્લોકથી અનુમાન કરવામાં આવે છે કે અમોઘ વર્ષે ઈ.સ. ૮૭પ(વી. નિ. સં. ૧૪૦૨)માં રાજ્યનો ત્યાગ કરીને જૈનમુનિઓના સત્સંગમાં રહીને આત્મસાધના કરતાં રહીને “રત્નમાલિકા' ગ્રંથની રચના કરી.
મહારાજા અમોઘવર્ષ પોતાના સમયનો મહાન યોદ્ધો હોવાની સાથોસાથ જૈન ધર્મમાં પ્રગાઢ શ્રદ્ધા રાખવાવાળો વિદ્વાન ગ્રંથનિર્માતા પણ હતો. અમોઘવર્ષે અનેક યુદ્ધોમાં વિજય પ્રાપ્ત કર્યો. તેણે રાજસિહાસનનો સ્વેચ્છાપૂર્વક પરિત્યાગ કરીને પોતાનો અંતિમ સમય જૈનાચાર્યની પાસે આત્મ-સાધનામાં વિતાવીને જે કમે સૂરા તે ધમે સૂરા' આ પંક્તિને અક્ષરશઃ સિદ્ધ કરી બતાવી.
(શીલાંકાચાર્ય (શીલાચાર્ય તથા વિમલમતિ) ) વી. નિ.ની ચૌદમી સદીમાં પ્રાકૃત ભાષાના અણમોલ ગ્રંથ ચવિત્ર મહાપુરિસ ચરિય' ના રચનાકાર આચાર્ય શીલાંક (અપરનામ વિમલમતિ તથા શીલાચાય) પ્રાકૃત ભાષાના પ્રખર વિદ્વાન અને મહાન જિનશાસન પ્રભાવક આચાર્ય થયા.
શીલાંકાચાર્ય નામના ત્રણ વિદ્વાન આચાર્ય જુદા-જુદા સમયમાં થયા છે. તેમનામાંથી એક શીલંકાચાર્યનો ઉલ્લેખ કોશકાર(ખજાનચી)ના રૂપમાં જૈન વામયમાં ઉપલબ્ધ થાય છે, પરંતુ તે કોશ વર્તમાનમાં ક્યાંય ઉપલબ્ધ નથી. બીજા શીલંકાચાર્ય એ છે, જેમણે વી. નિ. સં. ૧૪૦૩માં આચારાંગ - ટીકાની રચના કરી. તે જ શીલંકાચાર્યું સૂત્રકૃતાંગ - ટીકા અને જીવસમાસવૃત્તિની રચના પણ કરી. આ જ નામના ત્રીજા વિદ્વાન આચાર્ય છે - શીલાંક, શીલાચાર્ય અથવા આચાર્ય વિમલમતિ. તેમણે વિ. સં. ૯૨૫(વી. નિ. સં. ૧૩૫)માં “ચઉવન્ન મહાપુરિસ ચરિચં' નામના ઉચ્ચ કોટિના ચરિત્ર ગ્રંથની પ્રાકૃત ભાષામાં રચના કરી. - પ્રભાવક ચરિત્ર'માં શીલાંકાચાર્યનો જીવન પરિચય આપવામાં આવ્યો છે. તે અનુસાર શ્રી સર્વદેવસૂરિએ કોરંટક નગરના ચૈત્યવાસી ઉપાધ્યાય દેવચંદ્રને પ્રતિબોધ આપીને વનવાસી પરંપરામાં દીક્ષિત કર્યા. દીક્ષિત થયા બાદ દેવચંદ્ર ઘોર તપસ્યાની સાથોસાથ આગમોનું જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩) 96969696969696969696962 ૧૯૩