________________
નગર પ્રવરપુરને આગમાં સળગાવીને રાખ કરી નાખે.” મંત્રીઓ એ જાણતા હોવા છતાં પણ કે લલિતાદિત્યની આજ્ઞાનું ઉલ્લંઘન મૃત્યુને આમંત્રણ આપવા બરાબર છે, તેની આજ્ઞાને તેની સામે માથે ચઢાવી લીધા પછી પણ તે નગરને ન સળગાવ્યું, દારૂનો નશો ઊતરતાં લલિતાદિત્યને પોતાની મૂર્ખતા પર ખૂબ પસ્તાવો થયો. જ્યારે તેને તે જણાવવામાં આવ્યું કે - “ખરેખર નગરને સળગાવવામાં આવ્યું નથી.” તો તે ખૂબ પ્રસન્ન થયો.
લલિતાદિત્યના જીવન પર લાગેલ એક મોટા કલંકના સંદર્ભે કલ્હણે લખ્યું છે કે – “લલિતાદિત્યે વિષ્ણુ પરિહાસ કેશવની મૂર્તિની સાક્ષીમાં ગૌડરાજને વિશ્વાસ અપાવ્યો હતો કે - “તેની સાથે બધી રીતે સુંદર વ્યવહાર કરવામાં આવશે. આ વિશ્વાસ સાથે તેણે ગૌડરાજને કાશ્મીર બોલાવ્યો. પણ કાશ્મીર આવ્યા પછી તેની સાથે દગો કરી તેની હત્યા કરાવી દીધી. કલ્હણે લખ્યું છે કે – “આ તેના જીવન પર બહુ મોટું કલંક હતું. વિશ્વાસઘાતની આ ખબર મળતાં જ ગૌડરાજના કેટલાક સ્વામીભકત બંગાળી યુવાનોએ બંગાળથી કાશ્મીર સુધીની યાત્રા કરી અને ત્યાં રાજમંદિરમાં બળજબરીપૂર્વક પ્રવેશ કરીને ત્યાં રાખેલી વિષ્ણુરામાસ્વામિન્ની મૂર્તિને વિષ્ણુ પરિહાસ કેશવની મૂર્તિ સમજી તેના ટુકડે-ટુકડે કરી નાખ્યા. તે જ સમયે કાશ્મીરના સૈનિક મંદિરમાં આવી પહોંચ્યા અને તેમણે બધાં બંગાળી યુવાનોને તલવારોના પ્રહારથી કાપીને મોતને ઘાટ ઉતારી, દીધાં. તે બંગાળી યુવાનોના સાહસ અને સ્વામીભક્તિની પણ કલ્હણે રાજતરંગિણી'માં ખૂબ-ખૂબ પ્રશંસા કરી છે. - લલિતાદિત્યે ભારતને એક સાર્વભૌમ સત્તાસંપન્ન કેન્દ્રીય શાસન આપી થોડા સમય માટે ભારતને એક સશક્ત રાષ્ટ્રનું રૂપ આપ્યું, પરંતુ તેના પછી ન તો તેના ઉત્તરાધિકારીઓમાં અને ન ભારતનાં બીજા રાજ્યોમાં એવો કોઈ પ્રતાપી રાજા થયો, જે ભારતને એકતાના સૂત્રમાં બાંધીને રાખી શકે. લલિતાદિત્યના મૃત્યુ પછી ભારતના છેલ્લા સમ્રાટ લલિતાદિત્યનું સામ્રાજ્ય તૂટીને ફરીથી નાનાં-નાનાં રાજ્યોમાં વિભાજિત થઈ ગયું. જિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩) 99999999990 ૧૦૯ ]