________________
યુદ્ધ કર્યા પછી રાત્રે પોતાની સેના સાથે રાજગિરિના રાજાએ પોતાના સુવિશાળ મજબૂત કિલ્લાનું શરણું લીધું.
સવારે શત્રુસેનાને સામે ન જોઈને આમરાજે રાજગિરિના કિલ્લાને ચારેય બાજુથી ઘેરી લીધો. રાજા આમે શામ, દામ, દંડ, ભેદ આદિ તમામ નીતિઓનો આધાર લઈ તે કિલ્લાને તોડવા માટે શક્ય તેટલા તમામ ઉપાય કરી જોયા; પરંતુ કોઈ પણ ઉપાયથી કિલ્લાને તોડવામાં સફળતા મળી નહિ. અંતમાં તેણે બપ્પભટ્ટીને પ્રશ્ન કર્યો : “ભગવન્ ! આ મજબૂત દુર્ગમ કિલ્લાને, ક્યારે અને કેવી રીતે જીતી શકાશે ?’’
બપ્પભટ્ટીએ પ્રશ્નચૂડામણિ' શાસ્ત્રના આધારે કહ્યું : “રાજન્ ! તમારો ભોજ નામનો પૌત્ર આ કિલ્લા પર અધિકાર કરશે.’'
રાજગિરિના કિલ્લા પર અધિકાર મેળવ્યા વગર જ પાછા ફરવામાં આમરાજને પોતાનું અપમાન લાગ્યું. તે કિલ્લાની ચારે તરફ ઘેરાબંધી કરી ત્યાં ડટી રહ્યો. એ જ સ્થિતિમાં બાર વર્ષ વીતી જતાં યુવરાજ દુદુકની યુવરાણીએ એક પુત્રને જન્મ આપ્યો.
આમરાજના આદેશાનુસાર જન્મ લેતાં જ તે શિશુને પારણામાં સુવડાવીને પ્રધાનો દ્વારા રાજા આમ પાસે લાવવામાં આવ્યો. તે બાળકનું મુખ કિલ્લાની ટોચ તરફ કરી ટોચને તેના દૃષ્ટિપથમાં લાવવામાં આવી અને તે જ ક્ષણે કિલ્લા પર ગોળાઓનો મારો કરવામાં આવ્યો. આ બાજુ વીજળીના કડાકા સમાન ઘોર અવાજ કરતો કિલ્લાનો ઢાંચો ધરતી પર આવી પડ્યો.
રાજા સમુદ્રસેન સહકુટુંબ ગુપ્તમાર્ગેથી નીકળીને કોઈ અજ્ઞાત સ્થળ તરફ જતો રહ્યો. આમરાજે તે જ વખતે પોતાની સેના સાથે કિલ્લામાં પ્રવેશ કર્યો અને તેના પર પોતાનું આધિપત્ય સ્થાપ્યું.
આમરાજને તે જ સમયે કોઈ અદશ્ય શક્તિથી જાણ થઈ ગઈ કે - છ મહિના પછી મગધ તીર્થયાત્રા-હેતુ ગંગા પાર કરતી વખતે મગટોડા નામના ગામ પાસે તેનું મૃત્યુ થઈ જશે.
"
રાજગિરિથી પ્રયાણ કરી રાજા આમ બપ્પભટ્ટી સાથે અનેક તીર્થોની યાત્રા કરતા-કરતા કાન્યકુબ્જ પહોંચ્યો. પોતાના પુત્ર દુંદુકને કાન્યકુબ્જના જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૭.
૭૭ ૧૬